SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ભયની કલ્પના માનવીને કેવી વિપરીત દશામાં મૂકી દે છે ! આજે પણ એ રિવોલ્વર છે, ડૉક્ટર પણ છે, દર્દી પણ છે. ડૉક્ટરે જો હિંમત ન આપી હોત તો દર્દીએ ભયના માર્યા આપઘાત જ કર્યો હોત. મોટી મોટી વાતો કરનારો માનવી અંદરથી બહુ કાયર હોય છે. બીજાના કહેવાથી જ એને હિંમત આવી, બાકી રોગના ભયથી એ નિર્માલ્ય જ બની રહેત. આત્મશ્રદ્ધા હોય તો આવું નિર્માલ્યપણું ન જ આવે. એ માટે આપણા ચૈિતન્યને ટૂંઢવાનું ને ઢંઢોળવાનું છે તે જાણવાનું છે કે હું કોણ છું ? મનમાં જ્યાં સુધી ધર્મ, સંપ્રદાય કે જાતિ-ભેદની વાડાબંધી હશે ત્યાં સુધી આત્મજ્ઞાન પમાવાનું નથી, ને આત્મજ્ઞાન પામ્યા વિના મૃત્યુની ભીતિ દૂર થવાની નથી. આત્માના અજ્ઞાનથી પેદા થયેલું દુ:ખ આત્માના જ્ઞાન વડે જ દૂર થશે. માટે જ આપણે વિચારવાનું છે કે હું કોણ છું ? હું આત્મા છું તો હું સત્-ચિત્—આનંદ છું ? હું આત્મા છું તો મારું અસ્તિત્વ ત્રિકાલાબાધિત છે ? હું આત્મા છું તો હું ચૈતન્ય સ્વરૂપ છું ? હું આત્મા છું તો હું આનંદ સ્વરૂપ છું ? આપણે કોણ છીએ ? આપણો પરિચય શો છે ? ખબર નથી. આશ્ચર્યની વાત એ છે કે, આપણને આપણી જ ખબર નથી, આપણે આપણને જ ભૂલી ગયા છીએ, પછી બીજાને તો કયાંથી જ ઓળખીએ ? અનાદિકાળના કુસંસ્કારો વડે, આપણે આપણને જ ભૂલી ગયા છીએ. મોહના આવરણ નીચે, આપણે આપણને જ સંતાડી બેઠા છીએ. તેથી જ આપણે દુ:ખી છીએ, નિર્માલ્ય છીએ. આપણે આપણને ઓળખીએ તો દુ:ખ દૂર થાય, નિર્માલ્યતા મટી જાય, ને અદ્ભુત આનંદ અનુભવાય. આનંદ ચાર પ્રકારના : શબ્દાનંદ, શ્રદ્ધાનંદ, અનુભવાનંદ ને પરમાનંદ. આ શબ્દ રોજ સાંભળીએ છીએ. આપણું ભૈતિક નામ રોજ સાંભળીએ ૨૬ * જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy