SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ છીએ. રોજ રટીએ છીએ. એ આસક્તિ એટલી બધી વધી ગઈ કે, આપણે નામસ્વરૂપ બની ગયા અને આત્મસ્વરૂપ મટી ગયા. આત્મસ્વરૂપ પાછું મેળવવું હશે તો નામને ભૂલવું પડશે. નામ ભુલાશે તો જ આત્મસ્વરૂપ સમજાશે. આ બહુ કઠણ કામ છે. દુનિયા આખી નામ વધારવાની પાછળ પડી છે. દુકાન, ચોપડા, બિલબુકો, વિઝિટિંગ કાર્ડ – બધાંયમાં નામનો જ મહિમા ગવાય છે. માનવીના દાન-ધર્મ પાછળ પણ પોતાના નામનો મહિમા વધારવા માટેની જ ઝંખના હોય છે. ત્યારે આપણે તો નામને ભૂલતા જવાનું અને ભૂસતા જવાનું શીખવાનું છે. ધાર્મિક ક્રિયા નામ વધારવા માટે નહિ, પણ નામ ભૂલવા માટે કરવાની છે. નામ ભૂલવા માટે અધ્યાત્મ માર્ગ જ મદદ કરશે. પરમાત્માનું નામસ્મરણ આપણા નામના વિસ્મરણ માટે કરવાનું છે. નામસ્મરણમાં આપણે મસ્ત રહીશું તો એક ધન્ય દિવસ એવો આવશે કે આપણું ભૌતિક નામ ભૂલી ગયા હોઈશું, ને આપણે એનામય બનીને અનુપમ આનંદ મેળવી રહ્યા હોઈશું. મને એક પોપટવાળો પ્રસંગ યાદ આવે છે. એની પાસે એક પોપટ. એના એ એક હજાર રૂપિયા માગે. મને થયું, પોપટના બહુ બહુ તો પચીસ-પચાસ રૂપિયા હોય. આટલા બધા તે હોતા હશે? પૂછ્યું તો કહે, “એની એવી વિશેષતા છે. માણસની જેમ જ એ સ્પષ્ટ વાત કરી શકે છે.” વાત એની સાચી હતી. પોપટ એવું સુંદર બોલતો કે જાણે આપણને માણસ જ બોલતો હોય એમ લાગે. એવું સરસ બોલતાં શી રીતે શીખવ્યું હશે ! મેં એને સરસ બોલતાં શીખવવાનો કીમિયો પૂછ્યો. એણે કહ્યું, “એ તો મારા ધંધાની ખાનગી વાત છે. એ કીમિયો મારાથી બધાને ન બતાવાય, પણ તમે તો સ્નેહી છો, તમે કંઈ મારા ધંધાની હરીફાઈ કરવાના નથી, એટલે તમને બતાવું છું.” જીવન-માંગલ્ય : ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy