SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ હું હતો, છું, અને રહેવાનો છું એવી દૃઢ શ્રદ્ધાભરી સમજણ મૃત્યુનો ભય દૂર કરે છે. ભય બહુ ખરાબ ચીજ છે. એક ડૉક્ટર મિત્રે કહેલો એક પ્રસંગ અત્યારે યાદ આવે છે. એમણે કહ્યું, ‘‘હું એક દિવસ મારા દવાખાનામાં દર્દીઓને તપાસી રહ્યો હતો, ત્યાં એક કરોડપતિનો ફોન આવ્યો, “જલદી આવો.’' મને થયું, ચાલે તેમ હોય તો બધા દરદીને પતાવીને જાઉં. એટલે મેં પૂછ્યું, ‘‘બે-એક કલાક પછી આવું તો ?'' જવાબ મળ્યો, “ના અત્યારે જ આવો. મારી મોટ૨ લેવા માટે મોકલું છું.' મને થયું, બહુ ગંભીર હશે. અગત્યના કેસ મેં પતાવી દીધા, બાકીના માટે કંપાઉન્ડરને સૂચના આપી દીધી, ને ગાડી આવી એટલે હું શેઠને ત્યાં ગયો. મને ચેમ્બરમાં બોલાવાયો. શેઠ ગંભીર ગમગીનીમાં બેઠા હતા. મને કહ્યું, “ગઈ કાલે બૅન્કમાંથી કહેવામાં આવ્યું કે મારા હાથની લખેલી સહી તે પારખી શકતા નથી. મારા હાથ ઉપર મને લકવાની અસર લાગે છે. આમ તો છેલ્લાં બે-ત્રણ વર્ષથી મારો હાથ કંપ્યા કરતો હતો, પરંતુ હવે મને ગંભીર સ્થિતિ દેખાઈ રહી છે. જુઓ ને, મને લકવા થાય એમ તમને લાગે છે ? જો થાય એમ હોય તો હું મારી તૈયારી કરી લઉં.'' મેં એમને તપાસ્યા. વાતમાં કશો માલ ન દેખાયો. મેં કહ્યું, ‘“આપના સ્નાયુઓમાં નરમાઈ છે, પરંતુ પંદર વર્ષ સુધી તો કશો વાંધો આવે એમ નથી.’' “સાચેસાચ ડૉક્ટર, કંઈ વાંધો આવે એમ નથી ?'' “હા, સંપૂર્ણ ખાતરીથી કહેવા તૈયાર છું. તમને લકવા થાય તો મારી પ્રેક્ટિસ છોડી દઉં.' ઢીલાઢફ થઈ ગયેલા શેઠ સફાળા ઊભા થઈ ગયા. ‘‘અરે ડૉક્ટર, તમે તો મારો જાન બચાવી લીધો. બૅન્કમાંથી સમાચાર આવ્યા પછી મને એટલી બીક લાગી હતી કે લકવાના ત્રાસથી બચવા માટે મેં રિવૉલ્વર તૈયાર રાખી હતી. આપે જો લકવો થશે જ એવો અભિપ્રાય આપ્યો હોત તો રિવૉલ્વર વડે મારો જાન લઈ લીધો હોત. લો, હવે આ ભરેલી રિવૉલ્વર તમે જ લઈ જાઓ જેથી ફરી આવો વિચાર ન આવે.’’ Jain Education International જીવન-માંગલ્ય * ૨૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy