SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ આ પછી શ્રીકૃષ્ણ દુર્યોધનને બોલાવીને કહ્યું, “આ સભામાં સારો માણસ કોણ છે તે શોધી આપો.” દુર્યોધને સારો માણસ શોધવા નજર ફેરવવા માંડી, પણ એને સારો માણસ ન દેખાયો. દરેકમાં એણે કંઈ ને કંઈ અવગુણ જ જોયા. જે દિવસે આપણામાંથી દોષદષ્ટિ નાબૂદ થશે, તે દિવસે જ આપણે મનુષ્ય થઈ શકીશું. દુર્યોધન દોષદૃષ્ટિવાળો હતો તેથી તેણે બધામાં દોષ જ જોયા. ધર્મરાજ ગુણદૃષ્ટિવાળા હતા તેથી તેમણે સભામાં સગુણો જ નિહાળ્યા. તેથી જ કહેવત પડી : વૈદશ દિ: તાદશ સૃષ્ટિ: દૃષ્ટિ બગડેલી હોય, પછી સૃષ્ટિ નિર્મળ ક્યાંથી થાય ? દૃષ્ટિ બગડી છે તેથી જ ઔદાર્ય વિરમી ગયું છે. દૃષ્ટિ બગડી છે, તેથી જ સગુણો ઝાંખા પડ્યા. ધર્મ આપણી દૃષ્ટિ સુધારવાનું કહે છે. ધર્મનો ઉપયોગ દુનિયાને સુધારવા માટે પછી કરજો, જાતને સુધારવા માટે પહેલો કરો . બીજાનાં ઘરોની સજાવટ કરનારો આર્કિટેક્ટ કે ડેકોરેટર જો પોતાનું ઘર સજાવી ન શકે તો શા કામનો ? આપણો ધર્મ દુનિયાના શણગારનું સાધન બનવાને બદલે, આપણી હૃદયસજાવટનું સાધન બને એટલું આપણે ઇચ્છીએ. એ માટે, વિચારપૂર્વકનું હૃદય-ડોકિયું કરવું પડશે, ને મંથન કરીને આત્માને ઓળખવો પડશે. હતું, છે અને રહેશે, એનું નામ સત્. આત્મા સતું છે. એ હતો પણ ખરો, છે પણ ખરો, ને રહેવાનો છે પણ ખરો. સંસાર આખો મરી જાય તોય આત્મા તો નથી જ મરવાનો. એક વિજ્ઞાનીએ મને કહ્યું, “પૃથ્વીને દશ લાખ વર્ષ થયાં હશે.” ત્યારે મેં એને કહ્યું, “પૃથ્વીને ભલે દશ લાખ વર્ષ થયાં હોય, આજે અમે તો એથીય આગળના છીએ, કારણ પૃથ્વી જડ છે, અમે તો ચૈતન્ય છીએ. ચૈતન્યને કોઈ બનાવી શકતું પણ નથી, મટાડી શકતું પણ નથી. આ વિચાર મરણની ભીતિ દૂર કરે છે, ને મનમાં શ્રદ્ધા પેદા કરે છે કે, આપણે કદી મરવાના નથી, પંચમહાભૂત મરી જશે, આપણે તો કાયમ રહેવાના છીએ. ૨૪ * જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy