SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ આવો વિદ્યાવાન પુરુષ મનમાં વિચારે છે ત્યારે એ વિચારોની અંદર પણ એક મૃદુ અને નિર્મળ તત્ત્વ હોય છે, એના આચારમાં કોમળતા ને સંવેદના હોય છે. એના આચરણમાં સૌના સુખ અને શાંતિનો પરિમલ હોય છે. એનું દર્શન આત્મસ્પર્શી હોવાથી સમાજને માટે એક આશીર્વાદરૂપ બની જાય છે “શીવને પુરુષાર્થીનામું” જેના શૈશવનું પાત્ર વિદ્યાના અમૃતથી છલકાઈ રહ્યું છે એવા શૈશવમાંથી નીકળીને યૌવનમાં આવો છો. તમારી પાસે શક્તિઓ છે, બુદ્ધિ છે, થનગનાટ છે અને મનમાં કાંઈક કરી જવાની સ્વપ્નસૃષ્ટિ છે. યૌવનમાં જો સ્વપ્ન અને સર્જનાત્મક શક્તિના વિચારો ન હોય તો એ શક્તિ એને જ ખલાસ કરી નાખે છે. મારે આ સંસારના બગીચામાં એકાદો રોપો રોપીને જવું છે; બને તો સંસારનો બગીચો સમૃદ્ધ બને એવું સુંદર કાર્ય કરું, પણ એક રોપાને ઉખેડીને સંસારના બગીચાને દરિદ્ર બનાવવામાં નિમિત્ત તો ન જ બનું. એક રાજમાર્ગની બાજુમાં એક એક્યાસી વર્ષના વૃદ્ધ ખાડો ખોદીને નાનકડો છોડ રોપી રહ્યો છે. એટલામાં બે યુવાનો ઠેકડી કરતા પૂછવા લાગ્યા : “દાદા, શું કરો છો ?” “આંબાનું ઝાડ વાવું છું.” “હું ! આ ઉમરે આંબાનું ઝાડ વાવો છો ? એને કેરીઓ આવશે ક્યારે ? અને દાદા, તમે ખાશો ક્યારે ? ઘડપણમાં તૃષ્ણા અને મોહ જાગ્યાં છે !” વૃદ્ધ નમ્રતાથી કહ્યું : “તારી વાત સાચી છે ભાઈ, તૃષ્ણા તો હોય. હું એમ કહેતો નથી કે મારામાં તૃષ્ણા ન હોય. ન હોવાનો દાવો કરવો એ વસ્તુ હોવાને સિદ્ધ કરવા બરાબર છે. પણ આ જે આંબો હું વાવું છું એ મારે માટે નહિ. આ રસ્તાની બન્ને બાજુ જે ઝાડ ઊગેલાં છે એની છાંયાનો, એનાં ફળનો મેં ઘણાં વર્ષો સુધી લાભ ઉઠાવ્યો છે. તો હવે હું જાઉં છું તે પહેલાં આવતી કાલની પેઢીને કંઈક તો આપતા જવું જોઈએ ને ? એટલે હું વાવતો જાઉં . ગઈ કાલ પાસેથી કંઈક લીધું છે તો આવતી કાલને કંઈક આપવાનું છે, અને આપ્યા વિના ચાલ્યા જઈએ તો આપણે કુદરતના ચોર કહેવાઈએ ! હું ચોર ન બની જાઉં એટલા માટે આ મારો પ્રયત્ન છે.” પેલા બે યુવાનો આ સાંભળીને નમી પડ્યા, “દાદા, તમને સમજવામાં અમારી ભૂલ થઈ ગઈ છે.” માણસ માણસને સમજવામાં ભૂલ કરે છે ત્યાં જ જીવનયાત્રાની નિષ્ફળતા છે, માણસ સામાને સમજી શકતો હોય તો એની યાત્રા કેવી સળ થઈ જાય ? યૌવન શોભે છે પુરુષાર્થથી. ઘણી વાતો કરનારને હું મહત્ત્વ નથી પૂર્ણના પગથારે ક ૨૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy