SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ વાંચતાં તો બરાબર આવડે છે ને ?” ગામડિયાએ કહ્યું, “મને જો વાંચતાં આવડતું હોય તો હું ચશ્માં લેવા શું કરવા આવત ?” ચશ્માંથી વાંચતાં નથી આવડતું પણ વાંચતા આવડતું હોય તો વાંચવામાં એ મદદ કરે છે, એ વાંચતા શિખવાડતા નથી. જેમ પેલા ગમાર માણસે ચશ્માં ઉથલાવી ઉથલાવીને પેલાને હેરાન કરી મૂક્યો એમ આ જીવ પોતાનું અજ્ઞાન તપાસ્યા વિના સંસારમાં ગાળો દેતો ચાલ્યો જાય છે : આ ખરાબ, તે ખરાબ. પણ વસ્તુ ખરાબ છે કે વૃત્તિ ખરાબ છે એનું સંશોધન એણે કદી કર્યું નથી. જ્યાં સુધી સામે તમારી દૃષ્ટિ ન જાય, વૃત્તિનું વિશ્લેષણ ન કરો ત્યાં સુધી જગતના પદાર્થોમાં સમભાવ અને તટસ્થતા આવવાં બહુ દુષ્કર છે. મેં એવા ઘણા માણસોને જોયા છે. એ ધર્મમાં જોડાય, મંદિરમાં જાય ત્યારે ઘેલા ઘેલા થઈ જાય અને મંદિર બહાર જાય એટલે જાણે ધર્મ સાથે કાંઈ લાગેવળગે જ નહિ. જ્ઞાન અંદરનું હોય તો એકસરખો સમાભાવ ટકી શકે. તમે જે કરો તેમાં સંવાદ લાવો. તમને ખ્યાલ રહે કે પ્રત્યેક પ્રવૃત્તિમાં મારો આત્મા છે, જે સમાધાન ચાહે છે. એવું તો ન જ બને કે તમે આખોય દિવસ ઉપાશ્રયમાં કે દેરાસરમાં રહો. દિવસના ૨૨ કલાક તમારે દુનિયામાં કાઢવાના છે. તમે દુનિયામાં ઉપયોગવંત – જાગ્રત ન રહો અને અહીં માત્ર બે કલાક માટે જ ઉપયોગવંત રહો તો ૨૨ કલાક શું ? એથી તો બે કલાક પણ ધોવાઈ જાય. જમા કરતાં ઉધાર વધી જાય. ઉપયોગની સાવધાની તમને મળી જાય, તો દરેક પ્રસંગે તમે વૃત્તિઓનું સંશોધન, અવલોકન, નિરીક્ષણ કરી શકો. નાનક એકતામાં બહુ માનતા. નાનકને લખનૌના નવાબ અવારનવાર જ્ઞાનગોષ્ઠિ કરવા મળતા. નવાબને કાજીએ કહ્યું : “નાનક મોટી વાતો કરે છે પણ નમાજ પઢવા કદી આવે છે ?” એટલે નવાબે નાનકને પૂછ્યું, “તમે મારે ત્યાં આવીને નમાજ પઢશો ?” નાનકે કહ્યું, “હું આવીશ, જરૂર આવીશ. એમાં મને શો વંધો છે ?” નાનક તો ગયા. નમાજ પઢવાની તો શરૂઆત થઈ. નાનક તેં એકધ્યાન, એકતાન હતા. પેલા બન્નેએ નમાજ તો શરૂ કરી. ત્યાં નવાબને થયું : “નમાજ જલદી પૂરી થવી જોઈએ. આજે અરબસ્તાનથી ઘોડાવાળો આવવાનો છે. સારામાં સારા ઘોડા લેવાના છે. મેં વળી નાનકને આજે ક્યાંથી બોલાવ્યો !” કાજી ગર્વમાં ચકચૂર હતો - હું કેવો કે આ નાનકને ઝુકાવીને લઈ આવ્યો ! એને મસ્જિદમાં માથું ઘસતો કરી નાખ્યો ! મેં એને વટલાવી નાખ્યો ! પૂર્ણના પગથારે ક ૨૫૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy