SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ભરેલી રંગશાળા છે. માણસની વૃત્તિઓ પ્રદીપ્ત થઈ જાય એવા વાતાવરણ વચ્ચે પણ સ્થૂલિભદ્ર શાંત અને સ્વસ્થ છે. શાંત અને સ્વસ્થ રાખનાર તત્ત્વ કર્યું ? આ આત્માનું જ્ઞાન. એ જ્ઞાન ન હોય પછી ઘડપણ હોય કે વડપણ હોય; તીર્થ હોય કે તરાપો હોય, લપસતાને કોઈ નહિ બચાવે. આત્મજ્ઞાનના અભાવે વ્યાસ જેવા વ્યાસ તરાપો ચલાવતી મત્સ્યગંધામાં મોહી પડ્યા. તમે એમ માનો છો કે તીર્થમાં જાઓ એટલે તરી જાઓ ? દુનિયામાં એવું કોઈ સ્થળ નથી કે જ્યાં અજ્ઞાની માણસને વિકાર જાગતો ન હોય ! અને એવું કોઈ સ્થાન કે વ્યક્તિ નથી કે જે જાગ્રત આત્માને પાડી શકે. બચાવ માટે પહેલાં પોતાને જ્ઞાન થવું જોઈએ. પરણવા માટે મા-બાપે દબાણ કરી આગ્રહપૂર્વક પૃથ્વીચંદ્રને લગ્નના મંડપમાં બેસાડ્યો, કહ્યું : “પરણવું જ પડશે. પણ એમણે લગ્નના મંડપને જ વૈરાગ્યનો મંડપ બનાવ્યો. એના અંતરમાં, રોમરોમમાં વૈરાગ્ય ભર્યો છે. એ સ્ત્રીને કઈ દૃષ્ટિથી જુએ છે ? આ શરીરમાં એક જ્યોત ઝગી રહી છે. આ તનના કોડિયામાં ચૈતન્યનો પ્રકાશ તગતગે છે. નારી નરકની ખાણ એમ કોઈ બોલી દે એ ઉપરથી એમનામાં વૈરાગ્ય છે એ ભ્રમમાં કદી પડશો નહિ. એ નરકની ખાણ નથી, પોતાની વૃત્તિઓ નરકની ખાણ છે. પોતાનામાં જ અધમ વૃત્તિઓ પડેલી હોય તો સામી વ્યક્તિ શું કરે ? જેઓ એમ માને કે સ્ત્રીઓને વધારેમાં વધારે ભાંડીએ, ઉતારી પાડીએ, નિંદા કરીએ તો આપણે નિર્વિકારી ગણાઈએ, તો તે ભૂલ છે. એક રીતે જુઓ તો પોતાની વૃત્તિઓનું પ્રદર્શન છે. સાચી સમજણમાં સ્ત્રી કે પુરુષ ખરાબ નથી પણ એના પ્રત્યે જે કામવૃત્તિ જાગવી એ ખરાબ છે; અને કામવૃત્તિ જે દેહમાં જાગે એ દેહ નરક છે. જો કામવૃત્તિ ન હોય તો આ દેહ એક મંદિર છે. જે દેહમાં કામવૃત્તિ જાગી એ દેહમાં નરક આવ્યું. ત્યાં સામી વ્યક્તિ નરક ક્યાંથી થઈ ? . બે વૃદ્ધ મિત્રો વાતો કરતા હતા, “અઢી નંબરના ચશ્માં લીધા હોય તો સારી રીતે વાંચી શકાય.” ત્યાં એક ગામડિયો બેઠો હતો એને કાને આ વાત પડી. એ ઊઠ્યો અને સીધો ગયો ચશ્માંવાળાને ત્યાં. “એય ! અઢી નંબરના ચશ્મા લાવ.” એ ચશમાં ચઢાવી આગળથી જુએ પાછળથી જુએ પણ વાંચી શકે નહિ. ચશમાંવાળાએ કહ્યું કે તમારો નંબર બરાબર નહિ હોય, એટલે ત્રણ નંબરના આપ્યા. એનાથી પણ ન વંચાયું. કલાકની મહેનતને અંતે દુકાનદારને જરા શંકા આવી એટલે પૂછ્યું : “ભાઈ, તમે આ બધું કરો છો પણ તમને ૨પર જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy