SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ જે લોકો કાંઈ પણ કર્યા વિના જાય છે એમની પાછળ રૂદન ચાલે છે. આંસુઓ વહે છે અને હાહાકાર કરવામાં આવે છે. - સાધુ કાળધર્મ પામે ત્યારે એમની પાછળ શું થાય છે ? દેવવંદન થાય. કોઈ ધનવાન ગૃહસ્થ મૃત્યુ પામે અને એના સ્વજનો લખે, “અમારા પિતા, અમુક દિવસે સ્વર્ગવાસ પામ્યા !” એનો જવાબ તમે ઝીણવટથી વાંચ્યો છે ? દિીકરો ભલે લખે કે અમારા બાપા સ્વર્ગવાસ પામ્યા છે, જવાબમાં તો લોકો લખે છે : “તમારા બાપા સ્વર્ગવાસ પામ્યા છે એ બહુ જ ખોટું થયું !” કારણ કે સ્વર્ગવાસ પામે એવું કોઈ કામ એણે કર્યું જ નથી એ તેઓ જાણતા જ હોય છે. તો એ લાગવગ લગાડીને સ્વર્ગમાં કેવી રીતે ગયો ? બાપડો દીકરો લાગવગ લગાડીને મોકલી દે કે મારા બાપા સ્વર્ગમાં ગયા છે, પણ લોકો શેના માને ? એટલે જ ચોખ્ખ-ચોખું લખે છે, “આ બહુ ખોટું થયું !” - જેમ કૉર્ટમાંથી ખોટો માણસ છૂટી જાય અને તમે કહો કે બહુ ખોટું થયું, ન્યાય જેવી કોઈ વસ્તુ રહી નથી, લાગવગથી કામ થાય છે. કાગળના જવાબમાં પણ આ જ અર્થ રહેલો છે. માણસ જો સારું જીવન જીવે તો આવો કોઈ પ્રશ્ન આવતો જ નથી. સમાધિમરણ પામવા માટે જીવનની આ એક યાત્રા છે. એ યાત્રામાં મનુષ્ય પોતાનો વિચાર કરવાનો છે. પહેલો વિચાર એ કે હું એક આત્મા છું અને મારા આત્માના વિકાસ માટે આ દેહને મેં એક સાધનરૂપે સ્વીકાર્યો છે. હું ગમે ત્યાં જાઉં પણ મારો આત્મા સ્વચ્છ રહેવો જોઈએ. આ બહારના કવરની ખાતર મારો અંદરનો ચેક ક્યાંય ગુમ ન થઈ જાય એ મારે જોવાનું છે. કવરને તમે ખૂબ સારી રીતે સાચવજો, કારણ કે તેમાં જ મારો આ ચેક રહેવાનો છે. પણ જ્યારે એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે બેમાંથી કયું ફાટી જાય તો એ વખતે તમારે નિર્ણય લેવાનો કે ભલે કવર ફાટી જાય, ચેક ફાટવો ન જોઈએ. - એમ આત્મા અને દેહ - જ્યારે એકાંતમાં બેઠા હો અને તમને થાય કે મારા આત્માનો નાશ થાય છે તો ગમે તેવા લાભને પણ જતા કરો. આત્માને બચાવવાની દૃષ્ટિ આવી ગયા પછી તમે ટોળામાં હો કે એકાંતમાં હો, પ્રલોભનમાં હો કે પ્રવૃત્તિમાં, પણ તમે અડગ રહી શકશો. જે લોકો પ્રલોભન સામે અડોલ રહી શક્યા અને જેમનામાં અડોલ રહી શકવાની તાકાત આવી તે આ દૃષ્ટિથી જ. સ્થૂલિભદ્ર ચાર મહિના વેશ્યાને (કોશાને) ત્યાં રહ્યા. રૂપ, રંગ અને શૃંગારથી ભરેલી નાર સામે છે. ષડૂરસનાં ભોજન છે, ઉત્તેજક નૃત્યોનાં ચિત્રોથી પૂર્ણના પગથારે જ રપ૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy