SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણે ઠેકાણે એમ કહેવામાં આવે કે દેવમાં શ્રદ્ધા રાખો, ગુરુમાં શ્રદ્ધા રાખો. ધર્મમાં શ્રદ્ધા રાખો. પણ ભાઈ ! શ્રદ્ધા રાખનારો કોણ ? એને તો ઓળખો. શ્રદ્ધા શા માટે રાખવી એ આપણે જાણવું પડશે. શ્રદ્ધા રાખીને મેળવવાનું શું એ આપણે સમજવું પડશે. આ વસ્તુઓ જો આપણને સમજાય નહિ તો મૂળ વાત એ છે કે શ્રદ્ધા રાખે અને એ શ્રદ્ધાના નામે ઝઘડા કરે; શ્રદ્ધા રાખે અને એ શ્રદ્ધાના નામે રાગદ્વેષ વધારે. એટલે શ્રદ્ધા તો છે પણ શ્રદ્ધા શા માટે રાખવી એ વાત ભુલાઈ ગઈ. નાનપણમાં તમે આ વાત સાંભળી હશે. કોઈ એક ભોળો આદમી માલ લઈને જતો હતો ત્યાં રસ્તામાં એને ચોર મળ્યા, એને લૂંટ્યો. માલ બધો જ લૂંટાઈ ગયો. જ્યારે એ ઘેર આવ્યો ત્યારે લોકોએ એને પૂછ્યું કે તારો બધો માલ ચોરાઈ ગયો છતાં તું હસે છે કેમ ? તો કહે કે ચોરો કેવા મુર્ખ ! માલ લૂંટટ્યો છે પણ ભરતિયું તો મારી પાસે પડ્યું છે. એ વેચશે કેમ ? એમને ભાવની ખબર પડશે કેમ ? આ વાત સાંભળીને તમે કોઈક વાર હસ્યા હશો. પણ ખરેખર, જીવ એમ જ માને છે કે મારી પાસે શ્રદ્ધારૂપી ભરતિયું છે. પેલો ભોળો માણસ જેમ ભરતિયાને પકડીને બેઠો છે એમ આ માણસો શ્રદ્ધાને પકડીને બેઠા છે. પણ એકલી શ્રદ્ધા શું કામ લાગવાની ? શ્રદ્ધા શા માટે રાખવી એ એક પ્રશ્ન છે. જ્યાં સુધી એનો નિર્ણય ન કરો, એ માટેનો તમને અનુભવ ન થાય, એની અનુભૂતિનો સ્પર્શ ન થાય ત્યાં સુધી એ શ્રદ્ધા માત્ર ભરતિયાને વળગી રહેવા બરાબર જ છે. એવી શ્રદ્ધાને નામે માત્ર અજ્ઞાન અને મિથ્યાત્વ પોષાઈ જાય છે. સંપ્રદાયો અને વ્યક્તિઓની શ્રદ્ધાથી માનવી ધર્મથી વંચિત થાય છે. તીર્થથી વંચિત થાય છે અને સાચા સાધુઓથી વંચિત થાય છે. કહે છે કે મને તો અમુક દેવ, ગુરુ અને ધર્મ પર શ્રદ્ધા થઈ ગઈ. જેવી રીતે સુની શિયા પાસે ન જાય અને શિયા સુન્ની પાસે ન જાય એમ આ શ્રદ્ધાને નામે એક સંપ્રદાય, એક પંથ અને એક વ્યક્તિને વળગી રહે પછી માણસની જીવનદૃષ્ટિમાં વિશાળ અભાવ આવી જાય છે. જીવનનું એ સત્યાનાશ વાળી નાખે છે. સાધના કરવાનો આ એક જ ભવ છે. એમાં વિકાસહીન અને વિશાળતાહીન જીવન કેમ પાલવે ? સંપ્રદાયની તુચ્છતામાં જીવન પૂરું થયું તો ન પૂરી શકાય તેવું નુકસાન પોતાના આત્માને જ થવાનું છે. ચક્રવર્તીનાં સુખ ભોગવવા માટે બીજો ભવ મળે પણ ખરો, દેવલોકમાં તો તિર્યંચમાંથી પણ જવાય છે પણ મુક્તિ પામવા તો સાધન-સામગ્રીપૂર્ણ આ જ એક ઉત્તમ મનુષ્યજન્મ છે. બીજું એવું કોઈ સ્થાન નથી કે જ્યાંથી મોક્ષ ૨૪૮ * જીવનમાંગલ્યા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy