SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ જવાતું હોય. અનુત્તર વિમાનમાં ગયેલા કે જેને મોક્ષ બહુ નજીક છે તેવાઓને પણ સાધના કરવા માટે આ માનવજન્મમાં આવવું પડે છે ! આ માનવજન્મમાં આપણા વિકાસનો વિચાર કરવાને બદલે આવી આવી અજ્ઞાન શ્રદ્ધામાં જીવન પૂરું થઈ જાય તો આપણે જે મેળવવું છે, દૃષ્ટિ જે રીતે ખીલવવી છે અને આત્મઅવબોધ કરી સાધના દ્વારા આ એક જન્મમાં આપણે જે કામ કરી લેવાનું છે તે રહી જશે. સાંજે લગ્ન હોય અને તમારે બધી જ તૈયારી કરવાની હોય તો તમે એ દિવસનો ઉપયોગ કેવી રીતે કરો છો ? એ વખતે મિત્ર આવીને કહે કે ચાલો, હોટલમાં જઈને બેચાર કલાક બેસીએ, ગપ્પાં મારીએ ! તો તમે શું કહો ? તમે કહો કે “ભલા માણસ, સાંજે તો લગ્ન છે, આ કાંઈ ગપ્પાં મારવાનો સમય છે ?” પેલો કહે કે મારા ખરચે હું તમને ચા પાઈશ, તો તમે તરત કહેશો : “તું સમજતો કેમ નથી ? મારી પાસે સમય બહુ થોડો છે, તેને હું કેવી રીતે નકામો વાપરી શકું ? સાંજે લગ્ન છે અને બધી તૈયારીઓ કરવાની છે.” જ્ઞાનીઓ કહે છે કે પરણવા બેઠેલો માણસ પણ આવી ભૂલ નથી કરતો, છતાં કરે તોય એને એટલું નુકસાન ન થાય જેટલું આ આત્મા પ્રમાદ કરે તો થાય. છતાં મનુષ્ય તો પોતાના કીમતી સમયને વેડફી જ રહ્યો છે. ગમે ત્યાં બે કલાક ગપ્પાં મારવા હોય તો કહે, ચાલ. પણ એ સમયને આપણે સ્વાધ્યાયથી, ચિંતનથી, અભ્યાસથી, ધ્યાનથી કે યોગથી ન ભરી દઈએ ! ધન અને ધાંધલમાં પડેલા મનુષ્યને ન કોઈ સાધનનો ખ્યાલ છે, ન કોઈ તત્ત્વજ્ઞાનનો ખ્યાલ છે, ન તત્ત્વાર્થનો અભ્યાસ છે, ન કોઈ આત્મબોધ છે. જીવનું સ્વરૂપ સમજવા માટે દૃષ્ટિનો વિકાસ થવો જોઈએ પણ તેમ થતું નથી. પરિણામ એ આવે કે આખું આ જીવન આ મોંઘામાં મોંઘુ જીવન, એમનું એમ ખલાસ થઈ જાય છે. માણસ કાંઈ પણ કર્યા વિના ચાલ્યો જાય છે ત્યારે એની પાછળ રડવાનું થાય છે. રડવાનું કોની પાછળ છે ? શા માટે રડવાનું છે ? કાંઈ કર્યું નહિ એટલા માટે. લોકો કહે કે બાપડો ગયો. ન અમારું કર્યું, ને પોતાનું કર્યું. માણસને એમ લાગે છે કે હું ઘણું જીવવાનો છું. આથી જીવનની તૃષ્ણામાં પાછળ રહેલાનું પણ કાંઈ કરતો નથી. મહિના પહેલાંની વાત છે. હું એક વ્યક્તિને ત્યાં ગયો હતો. એ મરણપથારીએ હતા. મેં કહ્યું કે હવે તમે ધર્મધ્યાન કરો, જે કાંઈ દાન કરવું હોય તે કરી લો અને થોડીક તૈયારી કરો. તો કહે “મહારાજ, શું આપ એમ પૂર્ણના પગથારે જ ૨૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy