SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ફાટે, પણ ચેક ન ફાટે. કુશળ વ્યાપારી કવરને ગમે તે બાજુથી ફાડી નાખે. એને લાગે કે ચેક ફાટી જાય એમ છે તો બીજી બાજુથી ફાડે, વચ્ચેથી ફાડે, જરૂર પડે તો આખું કવર ફાડી નાખે; એને ચેક સાચવવો છે, કવરની સાથે કોઈ જ સંબંધ નથી. આ દૃષ્ટિ મળતાં તમને થશે કે મારા આત્માને જાળવીને હું આ શરીરની પાસેથી કામ લઉં. શરીર એક કવર તરીકે જરૂર કામનું છે. આ કવરની મહત્તા હોય તો એટલા પૂરતી જ કે એ પેલા ચેકને એક ગામથી બીજે ગામ પહોંચાડવાનું કામ કરે છે. આ શરીરની મહત્તા પણ એટલી જ છે. આ આત્માને મોક્ષ સુધી પહોંચાડવાનું એ સાધનનું કામ કરે છે. આ દૃષ્ટિ આવ્યા પછી તમારું શરીર ગમે ત્યાં હોય; મંદિરમાં હોય કે મસાણમાં, પણ તમે જાગતા છો. તમે જાણો છો કે આ તો ઉપરનું એક કવર છે. અંદરનો ચેક હું કોઈ જુદો જ છું. ધર્મી આત્મા કોને કહેવાય ? જેના અંતરની આ દૃષ્ટિ ખૂલી હોય. મને ઘણા કહે કે દેવ ઉપર, ગુરુ ઉપર અને ધર્મ ઉપર મને ખૂબ શ્રદ્ધા છે. હું એમને પૂછું : “એવી જ જો શ્રદ્ધા હોય તો મુસલમાનને પણ એના ઈમામમાં શ્રદ્ધા હોય છે, એને પણ એની મસ્જિદમાં શ્રદ્ધા હોય છે અને એને પણ એની નમાજમાં શ્રદ્ધા હોય છે. એમાં અને સમ્યગ્ દૃષ્ટિમાં ફેર શું ?” પણ ના. ત્યાં આત્માની શ્રદ્ધા નથી, અહીં આત્માની શ્રદ્ધાથી શરૂઆત થાય છે. આચારાંગ સૂત્રમાં પહેલી વાત એ બતાવી કે, “એને યા” – તું પહેલાં આત્માને, એકને જાણ. એને જાણી લીધા પછી, એને સમજ્યા પછી, એનું જ્ઞાન થાય પછી પ્રાણીમાત્રમાં તારા જેવા આત્માનું દર્શન થશે : એના નાના શા દુઃખનું પણ તને સંવેદનામાં સ્પર્શન થશે. પછી હિંસા તો સંભવે જ કેમ ? એટલે દેવ, ગુરુ અને ધર્મ શું થયાં ? સાધ્ય નહિ, સાધન થયાં, નિમિત્ત થયાં, સાધ્ય કોણ ? આત્મા પોતે. કોઈ માણસને નિસરણી ઉપર ચઢવું પડે છે, શા માટે ? ઉપર આવવા માટે. એટલે નિસરણી શું થઈ ? એક સાધન થયું. એ સાધન જો ન હોય તો ઉપર ન આવી શકે. સાધન મહત્ત્વનું છે – inevitable છે. એ અનિવાર્ય – indispensable ખરું, પણ તમે ઉપર આવી ગયા પછી એનું કાર્ય પૂરું થયું. એમ દેવ, ગુરુ અને ધર્મ મોક્ષ પામવામાં એક મહત્ત્વનું સાધન છે, નિસરણી છે. પણ પહોંચવાનું કોને ? સાધકને પોતાને. એટલે કહ્યું કે આત્માની ઓળખથી સમ્ય દર્શનનો પ્રારંભ થાય છે. પૂર્ણના પગથારે ૨૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy