SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ તો જ પેલું રાજ્ય મેળવી શકીશ. આ રાજ્ય અને તે રાજ્ય, બંને સાથે રાખી કોઈપણ માણસ મોક્ષ મેળવી શકતો નથી.” કોઈ એમ કહેતું હોય કે માણસની પાસે પૈસો હોય, સત્તા હોય, પ્રતિષ્ઠા હોય એનાથી કલ્યાણ થાય છે, તો એ ભૂલ છે. આ સાધનો માત્ર પુણ્યના એક ચમકારરૂપે આવે છે. એને તમે ધ્યેય ગણી નાખો, સાધ્યરૂપે ગણી નાખો તો જીવનનો એક ભ્રમ બની જાય. જીવનની આ ભ્રમણા એ જ મિથ્યાત્વ છે. સાચી દષ્ટિ પ્રાપ્ત થતાં તમને નવું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. માનો કે તમે ધર્મ કરતા હો અને તમારી પાસેથી પૈસો ચાલ્યો જાય; તમે કોઈ સત્તાધીશ હો અને ધર્મ કરતાં કદાચ તમે સત્તા ઉપરથી ઊતરી પણ જાઓ; તમે ધર્મ કરતા હો અને તમારી પ્રતિષ્ઠાને લોકો એકદમ ઝૂંટવી લે અને તમારા ઉપર કીચડ ઊડે, તેમ છતાં પણ તમને એમ થાય કે આ બધું જે થયું એને અને મારા આત્માને કાંઈ લાગતુંવળગતું નથી. પ્રતિષ્ઠા, કીર્તિ, ધન, પ્રસિદ્ધિ, વાહવાહ એ બધાંય ભૌતિક દુનિયાના પદાર્થો છે. અને આ બધું જવા છતાં આત્માનું સત્ત્વ તલમાત્ર ઓછું થતું નથી. સાધકે સાધનાકાળમાં કોઈ કારણે કલંકિત બનવું પડે તો કલંકિત પણ બને, પણ કલંકિત ન બને એટલા ખાતર ધર્મને છોડી દેવો, આત્માની વાત છોડી દેવી એવો વિચાર સાચો સાધક ન જ કરે. ઝાંઝરિયા મુનિ અસત્યની સામે જો નમી ગયા હોત, દુનિયાની વાહવાહમાં આવી ગયા હોત તો શું થાત ? પણ તેઓ અસત્ય સામે નમ્યા નહિ. એમણે તો કહ્યું કે લોકો જોડા મારે તો પણ શું થઈ ગયું ? મારો આત્મા સત્ત્વની ઉપાસનામાં અચલ છે. જેને આત્મદૃષ્ટિનું ભાન થાય છે અને એટલો જ ખ્યાલ આવે કે આ દેહ તો માત્ર એક કવર છે, એમાં રહેલો કાગળ જુદો જ છે. કવર અને કાગળ એ જુદાં છે એ સમજવું બહુ મુશ્કેલ છે. મોટા ભાગના માણસોને તો આ દેહ એક કવર છે અને અંદર એક કાગળ છે એવો કોઈ ખ્યાલ જ નથી. ૧૫ પૈસાના કવરમાં લાખ રૂપિયાનો ચેક પડ્યો હોય, તેથી કાંઈ પેલા ૧૫ પૈસાના કવરની કિંમત લાખ રૂપિયા થતી નથી; કિંમત તો પેલા લાખ રૂપિયાના ચેકની છે. એવી રીતે જ્ઞાનીઓએ કહ્યું કે આ દેહ છે એ તો એક ૧૫ પૈસાનું પરબીડિયું છે. એમાં જે ચેક પડ્યો છે એની જ કિંમત છે. ચેકને ઓળખવાની જે દૃષ્ટિ છે એનું નામ સમ્યગદર્શન. જેને આ ખ્યાલ આવી જાય એ કવરને એવી રીતે ફાડે કે કવર ભલે ૨૪૬ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy