SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગળ છે. આ ધર્મ જેના હૈયામાં વસે છે એને દેવો પણ નમન કરે છે. એમણે કહ્યું કે બધા જ મંગળમાં પણ જો ઉત્તમ મંગળ કોઈ હોય તો તે ધર્મ છે. આ અહિંસા, આ સંયમ અને આ તપ જેના હૃદયમાં ઊતરી જાય છે એને માણસો તો નમે, પણ દેવતાઓય નમે છે. કરોડપતિઓ આવીને મુનિને નમે એમાં મુનિએ કાંઈ ફુલાઈ જવાની જરૂર નથી. જો ફુલાય તો એ મુનિ ગમાર છે. એણે તો વિચારવાનું છે. જે ત્યાગને એ નમે છે તે એની પાસે છે ? લોકો માણસને નથી નમતા; એણે જે ત્યાગ કર્યો છે એ ત્યાગને નમન કરે છે. એ ત્યાગ જેની પાસે છે એને બધાય નમન કરે છે. અને દેવતાઓ નમન કરે છે એ કયા ભાવથી નમે છે ? આ માણસ ઘણી ઓળખાણવાળો છે, મોટો સત્તાધીશ છે, આને ઘણી ડિગ્રીઓ લાગેલી છે અગર તો એને ઘણી પદવીઓ મળેલી છે એટલે નહિ. એ જે નમન કરે છે એની પાછળ સદ્ભાવ છે; અહિંસા, સંયમ, તપ છે. તેને એ નમે છે. જે માણસ અહિંસક છે એની પ્રવૃત્તિ કેવી હોય ? એના જીવનથી, એની કરણીથી કોઈનેય દુઃખ ન થાય, ક્યાંય એ હિંસાનું નિમિત્ત ન બને. તેવી જ રીતે એ મનમાંય એમ વિચારે કે મારે કોઈનું ખરાબ શા માટે કરવું જોઈએ ? અને વાણીને વાપરતાં વાપરતાં પણ એ અનેક વાર વિચાર કરે કે મારી વાણી કડવી તો નથી ને ? લોકો કારેલાંનું શાક બનાવતાં હોય તો પણ એમાં થોડો ગોળ નાખે છે – કડવાં ન લાગે એટલા માટે. તો વિચાર કરો : માણસની વાણીમાં કટુતા હોય તો સાંભળનારને કેટલું દુઃખ થાય ! એટલે જ સાચો અહિંસક મનસા વસા શર્મા નિર્દોષ હોય છે. બીજા નંબરમાં સંયમ. આપણી પાંચેપાંચ અનિયંત્રિત ઇન્દ્રિયો રેસના ઘોડાઓ જેવી છે. એ નિયંત્રિત હોય તો જ કાબૂમાં રહી શકે છે. ઇન્દ્રિયોનો સુંદરમાં સુંદર ઉપયોગ કરવો જોઈએ. માણસ નક્કી કરે કે મારે મારી ઇન્દ્રિયોનો સારો ઉપયોગ કરવો છે તો એ કેટલું સારું કરી શકે ! આંખથી નૈસર્ગિક સૌન્દર્યની સૃષ્ટિ મનમાં ભરી શકે, શ્રેષ્ઠ અને ઉત્તમ કક્ષાનું વાંચન કરી શકે, અને તત્ત્વજ્ઞાનના ઉમદા ભાવો મનમાં વસાવી શકે. કાનથી કોઈનીય ગંદી વાત સાંભળીએ તો એના પ્રત્યે દુર્ભાવ કેળવાય. કોઈનુંય ખરાબ સાંભળીએ એટલે એ વ્યક્તિ પ્રત્યે આપણા મનમાં અભાવ પૂર્ણના પગથારે ક ૨૩૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy