SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પન્ન થઈ જાય છે, એના પ્રત્યે જે સદ્ભાવ હોય તે નીકળી જાય છે. માટે કોઈનીય મલિન વાત સાંભળવી નહિ. એના કરતાં કોઈ પ્રવચન સાંભળ્યાં હોય, જીવને પ્રેરણા આપતી કોઈ કથા સાંભળી હોય, કોઈ મહાપુરુષના જીવનમાં બની ગયેલા સાચા બનાવો સાંભળ્યા હોય તો મને કેવું સુવિકસિત બની જાય ! ખરાબ વાતો ઘણી વાર આપણા દિવસો અને રાતોને બગાડી નાખે છે, જ્યારે સૂવા જતાં પહેલાં સાંભળેલી કે વિચારેલી એક સારી વાત રાતને સુંદર ભાવોથી ભરી દે છે. નિયમિત પ્રાર્થના કરતા હોઈએ, પ્રભુનું સ્મરણ કરી, કોઈ મહાપુરુષનું જીવનચરિત્ર વાંચી, એ સુંદર સ્મરણોમાં અને સ્મરણોમાં ઊંઘી જતા હોઈએ તો કદાચ સ્વપ્ન આવે તો એમાં પણ ભગવાનની મૂર્તિઓ, તીર્થ-સ્થળો, સંતોનો સમાગમ, પ્રકૃતિનું પર્યટન એવું બધું જ આવવાનું. કેટલાકને સુંદર સ્વપ્ન આવે ત્યારે નવાઈ લાગે કે આજે ભગવાન મને સ્વપ્નામાં દેખાયા ! એક જ દહાડો સ્વપ્નામાં ભગવાન દેખાય એવું કેમ બને ? રોજ શયતાનો દેખાય અને એક દહાડો ભગવાન દેખાય એટલે આશ્ચર્ય ન થાય તો શું થાય ? પણ રોજ ભગવાન દેખાય એવું થવા માટે સૂતાં પહેલાં પૂરી શાંતિ જોઈએ. કાનમાં સારા શબ્દો ગુંજતા હોય, આંખમાં સુંદર છબીઓનું દર્શન હોય અને પ્રાણોમાં પ્રભુતાનો પરાગ હોય તેનું નામ સંયમી જીવન. અહિંસા, સંયમ પછી આવે છે તપ. માણસને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો તપશ્ચર્યા અનિવાર્ય છે. તપશ્ચર્યા એટલે માત્ર એકાસણું કે ઉપવાસ જ નહિ; બે કલાક પલાંઠી વાળીને બેસવું એ પણ તપ છે. “આ કામ હું કરીને જ ઊઠીશ.” એવા સંકલ્પથી તમે જે કર્યું એનું નામ અત્યંતર તપ કહેવાય. તમારી કાયાનો ઉત્સર્ગ કરી સંકલ્પબળથી એટલી વાર તમે એક આસન પર બેઠા એ આંતરિક તપ છે. દેખનારને ખ્યાલ ન આવે કે આ તપ કરે છે પણ કરનાર સાધનામાં છે એટલે અત્યંતર તપ ચાલુ છે. જીવનમાં જેટલાં શ્રેષ્ઠ કામ કરવાનાં છે એમાં તપશ્ચર્યાની જરૂર છે. કોઈ પણ મોટું કામ તપશ્ચર્યા વિના સિદ્ધ થતું નથી. સહેલાં કામો, ખાવાપીવાનાં કામો વગર તપશ્ચર્યાએ થઈ જવાનાં. પણ દુનિયાનાં મોટાં કામો તપશ્ચર્યા વિના થયાં જાણ્યાં નથી. અહિંસા, સંયમ અને તપ આ ત્રણ વાત જેના હૃદયમાં હોય તેને તો દેવતાઓ પણ નમન કરે છે. દુનિયામાં દેવો બહુ ઉત્તમ અને મોટા કહેવાય છે. પણ દેવોને મન મનુષ્ય વધારે ઉત્તમ છે, એનું કારણ એ કે આત્મદર્શન જો કોઈ કરી શકે, Jain Education International == ૨૩૬ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy