SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ નામ જ એ લોખંડમાંથી સોનું બનાવવું, એ આ વિદ્યાનું રહસ્ય છે. આ વસ્તુ જો તમને સમજાય તો પરિસંવાદ દ્વારા તમે ઉપર અને ઉપર જઈ શકો. આ મંથનમાં તમે તમારી સાથે વાતો કરતા થાઓ. આ સ્વાધ્યાયથી માણસ ધીરે ધીરે કર્મથી, મળથી અને વૃત્તિઓથી મુક્ત થતો જાય છે અને મુક્ત થયેલો આત્મા પરમાત્મસ્વરૂપ બને છે. જેવી રીતે ઊંચે જવું હોય તો કોઈ નિસરણી જોઈએ એમ પરમાત્મતત્ત્વ પહોંચવું હોય તો આ પરિસંવાદ એક નિસરણી છે. તો પરિસંવાદમાં શું આવે છે ? આત્માને મુક્ત કરવો એ જ આ મનુષ્ય જીવનનો એક હેતુ છે. અને આ હેતુ પરિસંવાદથી જ સિદ્ધ થાય છે. તો જેવી રીતે માટીમાં રહેલ બીજમાંથી ફૂલ બને, ખાતરમાં ભળેલા બિયારણમાંથી સુંદરમાં સુંદર અનાજ બને એવી જ રીતે આ કર્મમાં ભળેલા આત્મામાંથી પરમાત્મા બને. આ પરિસંવાદ દ્વારા એ પરમાત્મતત્ત્વના પ્રકાશને પામી પૂર્ણની પૂર્ણતામાં પૂર્ણ બની જીવીએ. ૨૨૪ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy