SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ છું.” રાજાએ કહ્યું, “એવું ? મને બતાવો.” કણાદે કહ્યું, “તમને એક પ્રશ્ન પૂછું ? “ફૂલ થાય છે એ શેનામાંથી થાય છે ?' તો કહે : “માટીમાં રહેલા બીજમાંથી થાય છે.” “અનાજ થાય છે એ શેનામાંથી થાય છે ?' તો કહે : “ખાતરમાં ભળેલાં બીજમાંથી થાય છે.' ખાતરને કોઈ ભાણામાં આપે અને ખાવાનું કહે તો નહિ ખવાય, ઊલટી થાય પણ એ જ ખાતરમાંથી અનાજ પેદા થાય છે જેને માણસ આનંદપૂર્વક ખાય છે અને માટી ભોજનમાં આપી હોય તો કોઈ પણ ખાય ? નહિ ખાય પણ એ જ માટીમાંથી ખીલેલા સુરભિવાળાં ફૂલો થાય છે જેને લોકો પોતાના ઘરમાં મુખ્ય ખંડમાં શોભા માટે ફૂલદાનીમાં ગોઠવે છે. જેમ માટીમાંથી ફૂલ થાય અને ખાતરમાંથી અનાજ થાય છે તેવી જ રીતે આ દેહમાં રહેલા આત્મામાંથી પરમાત્મા થાય તેનો ઉપયોગ કરતાં આવડવો જોઈએ. એમનું એમ ખાતર મૂકી દો તો કાંઈ પણ ન થાય; એમની એમ માટી મૂકી દો તો પણ કાંઈ ન થાય. એને તૈયાર કરીને એનામાં બીજા વાવવામાં આવે તો એમાંથી ફૂલ પણ થાય, અનાજ પણ થાય. એમ, હે રાજન ! માણસના વિકારો, માણસની વૃત્તિઓ, માણસના આવેશો એ ખાતર જેવા છે. એનું ઊર્ધીકરણ થાય તો એ વિકાસમાં પરિણમી જાય, એનાથી પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય.” અને એ વાત તો માનવી જ પડે છે કે તમારામાં રહેલા વિકારો, તમારામાં રહેલી વૃત્તિઓ, તમારામાં રહેલા આવેશો ઊર્ધ્વીકરણ માગે છે. એમ બને તો એ જ તમારી સાધનાનું સાધન બની જાય છે. જે તમને સામાન્ય ભૂમિકામાં રાખે છે અને પશુની સામાન્યતામાં મૂકી દે છે એનું જ તમે Sublimation કરો. નિર્માલ્ય માણસો કોઈ ઠેકાણે કાંઈ જ કરી શકતા નથી. તાકાત તો જોઈએ જ, પણ એટલો ફેર કે જે તાકાત અને આવેગ દુનિયાની વાતમાં કામ લાગવાનાં હતાં અને તમે હવે અધ્યાત્મમાં ફેરવી નાંખો છો. જે વૃત્તિઓનું ખાતર કોહવાઈને ગંધ મારવાનું હતું એ જ ખાતરમાંથી સુંદર સુગંધી ફૂલો પેદા કરો છો અને ધૂળમાંથી ફૂલ અને પાક ઉતારો છો. એટલે ભાઈ, લોખંડનું સોનું બનાવવું એટલે શું ? આ શરીર સાધના માટે વાપરવું અને આત્માને પરમાત્મા બનાવી દેવો.” એ કોનાથી બને ? જેમ પેલા પારસમણિના સંપર્કથી લોખંડ સોનું બને એમ પરિસંવાદના સંપર્કથી આ આત્મા પરમાત્મા બને. જે લોકો લોખંડમાંથી સોનું બનાવતા હતા એ વિદ્યા એટલે શું ? આ દેહને પરમાર્થ માટે વાપરવો અને આત્માને પરમાત્મસ્વરૂપ બનાવી દેવો એનું પૂર્ણના પગથારે જ ૨૨૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy