SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાયમાં સ્નાન કરી આવો. સંસાર કાર્યથી નથી વધતો, પણ શોકથી વધે છે. જીવ શોકમાં ડૂબી જાય તે વખતે અભ્યાસ, સ્વાધ્યાય, ચિંતન વડે જીવને અધ્ધર રાખો. જે જીવ અધ્ધર રહી શકે તે જીવનની બધી ઋતુઓમાં સ્વસ્થ રહી શકે છે. આત્માને સંસારમાં બાંધનાર શોક અને આસક્તિ છે. આપણો ધર્મ એ નથી કે કબરમાં ગયા એટલે પૂરું થયું. આપણો ધર્મ એ છે કે અહીં કરેલું કામ જે હજુ અધૂરું હોય તે આવતી કાલે કરવાનું છે અને અહીં કરેલું દેવું આવતી કાલે દેવાનું છે. અહીં વાવેલું દાન ત્યાં જઈને લણવાનું છે. તમે કદી વિચાર કર્યો કે મને આટલી બધી સગવડ કેમ ? મને કેમ આટલાં બધાં સાધનો મળ્યાં ? હું જ્યાં હાથ નાખું છું ત્યાં જોઈએ એટલી વસ્તુઓ મેળવી શકું છું અને બીજા લોકો ટળવળે છે, કરગરે છે, વિનવે છે છતાં અન્ન અને વસ્ત્ર જેવી પ્રાથમિક વસ્તુઓ પણ પૂરતી મેળવી શકતા નથી. - બિહારમાં છોકરાંઓ ઘરમાં જાય એટલે તેમની માતાઓ ચૂંટલા ભરે, બચકાં ભરે કે તમે ઘરમાં આવશો નહિ. ખાવાનું જ નથી ત્યાં રોતાં-કકળતાં એવાં તમને આપીએ શું ? જાઓ, જ્યાં જવું હોય ત્યાં જાઓ, ખાવા મળે ત્યાં જઈને ખાઓ. એટલે છોકરાંઓ આઠ-આઠ દિવસ સુધી ઘરમાં આવે નહિ. ક્યાં ઝાડની નીચે પડ્યાં રહે, ક્યાં મહુડા ખાય, ક્યાં આપણા તરફથી ચાલતા અન્નક્ષેત્ર પર જઈ પેટનો ખાડો ભરે. મા જેવી મા જે પ્રેમની મૂર્તિ કહેવાય એ બાળક ઘરમાં આવે ત્યારે ચૂંટલો ભરીને કાઢી મૂકે – આવું ક્યારે બને ? એ જાણે કે એ દર્દ હવે એનાથી જોઈ શકાય તેમ નથી. એના કરતાં એ દુ:ખિયાં છોકરાં દૂર ચાલ્યાં જાય તો સારું. ત્યારે બીજી બાજુ સાહેબી એટલી બધી હોય છે કે દીકરો કહે કે પપ્પા ! મારે world tour પર જવું છે. તો કહે, “જઈ આવ બેટા.” પાંત્રીસ હજારનો ખર્ચો થશે.” તો કહે, “કાંઈ વાંધો નથી.” એ world tour ઉપર જઈ આવે અને પચાસ હજાર ખરચી પણ આવે ! વિચાર કરો. ત્યાં તમે કાંઈ કરી શકતા નથી. માણસની નિરાધારતા કેટલી છે ! છોકરાં તમારાં પણ છે, છોકરાં એનાં પણ છે. એક છોકરાને ખવડાવી શકવા સમર્થ નથી એટલે ચૂંટલા ભરીને દૂર કાઢે છે. બીજાનો છોકરો ઘરમાં ખાઈખાઈને થાકી ગયો છે એટલે હવે બહાર જઈને ગમે તેટલા હોટલોના ખરચા કરીને આવે તોય હસીને વધાવે ! પૂર્ણના પગથારે જ ૨૧૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy