SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ જીવે બેસીને શાંતિથી વિચાર કરવાનો છે કે કર્મો બાંધ્યાં છે એનું પરિણામ પુણ્ય અને પાપ છે. એમાં સમતુલા રાખવા માટે સદા જાગ્રત રહેવું જોઈએ. વીતરાગ પાસે ચક્રવર્તી પાસે ન હોય એવી રિદ્ધિસિદ્ધિ હોય છે અને યોગી પાસે ન હોય એવી ત્યાગવૃત્તિ છે. આ બેનું સંમિશ્રણ વીતરાગમાં જોવા મળે છે . આજે તમારી શ્રીમંતાઈ તમને દેવ, ગુરુ અને ધર્મની નજીક લાવવાને બદલે આઘા તો લઈ નથી જતી ને ? ખરી શ્રીમંતાઈ કઈ ? જેમ જેમ ધન આવે, જેમ જેમ સગવડતા મળે તેમ તેમ દેવ, ગુરુ અને ધર્મની નજીક લઈ જાય તે જ સાચી શ્રીમંતાઈ. એ વૈભવ શું કામનો કે જે વૈભવ આપણને આત્માથી દૂર લઈ જાય ? પુણ્ય અને પાપનો ઉદય એ પૂર્વજન્મમાં કે આ જન્મમાં કરેલાં શુભ કે અશુભ કૃત્યોના પરિણામે મળે છે. પણ ભોગવટા વખતે અંદરની સ્વસ્થતા કેમ રાખવી, વિચારો કેવા ઉદાત્ત રાખવા એ વિશિષ્ટ જીવનની વિશિષ્ટતા છે. ઘણી વાર પુણ્યને લીધે થાકી જાઓ એટલે સુખ મળે અને પાપને લીધે ત્રાસી જાઓ એટલે દુ:ખ મળે. બંને કર્મસત્તાનાં પરિણામો છે. પુણ્ય અને પાપના ઉદયમાં સ્વસ્થ રહીએ તો નિર્જરા થાય. આપણને સુખ અને દુઃખ કોઈ નથી આપતું. નહિતર કર્મ સત્તાને કોઈ માનતું ન હોત. દુઃખમાં હસવું એ તત્ત્વજ્ઞાનનું કામ છે. જે અવસ્થામાં કર્મ બંધાય એમાં જ જ્ઞાનદશાથી કર્મ છોડી શકાય. એ માટે જ તત્ત્વજ્ઞાન છે. તત્ત્વજ્ઞાન શું કરે છે ? જગતના જે પદાર્થો અજ્ઞાનીને રડાવે તે જ્ઞાનીને હસાવે છે. આત્માને ત્યાં પુણ્ય અને પાપ નામના પદાર્થો આવ્યા છે. એને લીધે કોઈ વાર અનુકૂળ મળે; કોઈ વાર પ્રતિકૂળ મળે; સુખ મળે, દુ:ખ મળે, પણ એ બધાંયમાં ચિત્તની સ્વસ્થતા રાખવી. આ બધાંય એ ઋતુઋતુનાં ફળ છે Seasonનાં Fruits છે. શિયાળામાં ઠંડી પડે. ઉનાળામાં ગરમી પડે અને વર્ષાઋતુમાં વરસાદ વરસે પણ તે બધાંમાં કાળ એક જ છે; તેમ પુણ્ય અને પાપની ઋતુઓમાં આવતા સુખ-દુઃખના પલટાઓમાં આત્મા એક છે. ભિન્ન હવામાન ઊભું થાય તે વખતે મનની શાંતિ જાળવી શકો તો ઘણું ઘણું મેળવી શકો. જેમાં જીવ બાળો તેમાં કર્મ બંધાય. માટે જીવ બાળવો નહિ. શોક, સંતાપ, ચિંતા, ઉદ્વેગ ઊભાં થાય તો ઊભા થઈ જાઓ, આંટો મારી આવો, Jain Education International ૨૧૮ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy