SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ આ દેહમાં છે એટલે આને નવડાવવો પડે છે, ખવડાવવો પડે છે. તું ન હોય તો તેને બાળવો જ રહે.” અજ્ઞાનીને દેહને માટે મમતા છે. મમતા ત્યાં ભય, ભય અસંભવિત વસ્તુને સંભવિત બનાવે છે. આત્મભાવ અને દેહાભાવમાં શો ફરક છે ? દેહભાવમાં અંદરથી બીકણપણું પ્રગટે છે. હું મરી જઈશ, મારું લૂંટાઈ જશે, મારું શું થશે ? – આમ એ કલ્પનાથી અસંભવિતને સંભવિત કરી દે છે. જે કાલે બનવાનું નથી તે બનવાનું છે એમ માની આજે જ ઉપાધિ ઊભી કરે. જે વસ્તુ નથી તેને ભયથી બોલાવી લે છે. જે માણસ બીકણ હોય, અંધારાથી બીતો હોય તે અંધારામાં બેઠો હોય તો વિચાર કરે કે અંદર કોઈ છે તો નહિ ને ! અંદર કંઈ નથી પણ “કદાચ હોય' એવો વિચાર કરી તેને સંભવિત બનાવે છે. જરાક પતરું હાલે કે લાકડી પર પ્રકાશ પડે એટલે એને એ “કંઈક' સમજી ભયભીત બને છે. મોટાભાગના લોકો દેહભાવને લીધે ભયના વિચાર દ્વારા અસંભવિતને સંભવિત કરે છે. આત્મદશા આવી પછી કોઈ જાતનો ભય નહિ. સંભવિતને એ અસંભવિત કરે. કહે કે મારા આત્માને શું નુકસાન થવાનું છે ? થાય તો દેહને થવાનું છે. પછી એ કોઈથી ન ડરે. આત્માની શક્તિ અભય છે, અનંત છે. ભય હોય તે સ્મશાનમાં ધ્યાન લગાવી કેમ બેસે ? ભય હોય તેને તો રાતે ઘરમાં જતાં પણ બીક લાગે, દેહભાવ બીકણ છે. એક રાજાએ એક વાર સંન્યાસી બનવાનું જાહેર કર્યું. એ ગુરુની શોધમાં ઊપડ્યા, ઘણા સંન્યાસીઓએ વિચાર કર્યો કે આપણે એનાં ગુરુ બનીએ. આ આશામાં ઘણા સંન્યાસીઓ આવ્યા અને કહેવા લાગ્યા : “અમે મોટા આશ્રમવાળા છીએ. તમને બધી જાતની સગવડ અમે આપી શકીશું.” રાજાને હસવું આવ્યું. એણે કહ્યું, “હું એને ગુરુ બનાવું જેના આશ્રમનું આંગણું લાંબામાં લાવ્યું હોય.” પછી રાજા જોવા નીકળ્યો. દરેકનું આંગણું પહેલાંના સંન્યાસીના આંગણા કરતાં મોટું હતું. એક સંન્યાસી જે ચૂપ હતા તેની પાસે ગયા તો ત્યાં આંગણું જ નહિ. પૂછ્યું તો કહે, “જોતા નથી ! આ ક્ષિતિજ એ જ તો મારા આશ્રમનું આંગણું છે. “ધરતી કો છેડો આભ કી પિછોડી.” આભને ઓઢું છું અને ધરતીને બિછાવું છું. ક્ષિતિજ પ્રતિ જ્યાં સુધી જઈ શકાય એ બધું આશ્રમનું આંગણું જ ગણું છું.” કોઈ પણ વસ્તુને મર્યાદિત કરીએ એટલે એમાં પુરાઈ જઈએ છીએ. મુક્તિનો અનુભવ અનંતમાં જ થાય. પૂર્ણના પગથારે જ ૨૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy