SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉપાધિ તમારી. ઉપાધિ કેમ આવી ? મમત્વ પડેલું છે એટલે. ચક્રવર્તી છોડે ત્યારે ભોગોને તણખલું જાણી છોડે. જે દુઃખ આપે, મગજમાં ઉપાધિ ઊભી કરે એ નકામું છે એમ જાણી છોડી દે છે. જે વસ્તુ છોડવા બેઠા તેની કિંમત મગજમાં હોય તો ન છોડાય. જે છોડો તેની કિંમત ઓછી લાગે અને જેને માટે છોડો તેની કિંમત વધારે લાગે તો જ છોડી શકો; નહિતર જીવ છૂટે નહિ, છૂટી જાય તો પાછળથી બળતરા થાય. છ ખંડનું રાજ્ય તણખલા જેવું ગણી છોડ્યું અને સમતાનું સિંહાસન મેળવ્યું. ચારિત્ર્યની મજા એ છે કે તમારામાં અંદરથી ખુમારી આવે, મસ્તી આવી જાય, ત્યાગ સહજ લાગે. પછી વસ્તુ સામે આવે પણ ઇચ્છા ન જાગે. નિસ્પૃહીનાં જેટલાં કામ થાય એટલાં સ્પૃહાવાળાનાં ન થાય. છોડો ત્યારે કહો કે તુચ્છને છોડવું અને પરમને મેળવ્યું. અક્ષયસુખનું કારણ, પરમસુખનું કારણ ત્યાગધર્મ છે, ચારિત્ર્યધર્મ છે. ચારિત્ર્ય અને જ્ઞાનથી આત્મામાં એવી શક્તિ ઉત્પન્ન થાય કે પાપ એને અડી પણ ન શકે. વિશ્વની કોઈ તાકાત એનાથી બળવાન નથી ! હું આત્મા છું. હું જેમાં વસું છું એ દેહને દુ:ખ આવે છે તેમાં કારણ દુઃખ આપનારાં નથી, પણ કર્મ છે. આ કર્મને ખલાસ કરવામાં છે. જેમ કાંટો વાગે તો ન નીકળે ત્યાં સુધી વેદના થાય તેમ કર્મ લાગ્યાં હોય ત્યાં સુધી એક અથવા બીજી રીતે દુ:ખ આવ્યા કરે છે. હું આત્મા છું એવી પ્રતીતિ થાય પછી પૂર્ણતા માટે બધી જ ક્રિયાઓ કરતાં આનંદ થાય છે. એક બાઈ બોર્ડિંગના દોઢસો છોકરાઓ માટે રસોઈ બનાવે અને ઘેર જઈને પોતાના દીકરા માટે બનાવે. પેલા બોર્ડિંગના છોકરા સારા છે, દેખાવડા છે. ભણેલા છે પણ એમાં મારાપણાની રુચિ નથી. એટલે એમને જમાડતાં મનમાં પ્રીતિ નહિ જાગે અને ગમે તેમ કરીને કામ પૂરું કરશે. પણ પોતાનો પુત્ર સાવ સામાન્ય હોય તો પણ તેને જોઈને તેને પ્રીતિ થાય છે, ઉલ્લાસ જાગે છે કારણ કે ‘એ એનો પુત્ર' છે એ જાતની એની સમજણ છે. ત્યાં દેખાવ કે ભણતર નહિ, પણ સંબંધને સ્થાન છે. એ શ્રમિત હોય તો પણ દીકરા માટે કામ કરતાં તેને થાક નહિ લાગે. આત્માની મહત્તા સમજાય પછી ધર્મક્રિયા કરવામાં જે રુચિ જાગે તે સમ્યગ્દર્શનનું પરિણામ છે. સમ્યગ્ દૃષ્ટિ આત્મા ક્રિયા, નિશ્ચય અને વ્યવહારનું સમન્વયાત્મક દૃષ્ટિથી એટલે કે સમ્યગ્ દૃષ્ટિથી કરે. બધી ક્રિયા કરે પણ ધાવમાતાની જેમ કરે. દેહને નવડાવે, ખવડાવે ત્યારે કહે : “આત્મા, તું Jain Education International ૨૧૪ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy