SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ — ભાગીદારીનું દેવું સુખીને દેવું પડે છે, તેમ આત્માને જડના કારણે - ભાગીદારીને કારણે પોતાના આનંદને વેચી કાઢવો પડે છે. મરે છે કોણ ? શરીર મરે છે, આત્મા નથી મરતો, જીવ મરતો નથી પણ નબળો ભાગીદાર મરે તો સબળા ઉપર અસર થાય, આત્માએ દેહનો, કર્મનો સમાગમ કર્યો. આ કર્મના સમાગમને કારણે આ જીવ ઘડીએ ઘડીએ દુ:ખી થાય છે, સંસારમાં પરિભ્રમણ કરે છે. આ ભાગીદારી કરવાથી આત્મા મુક્ત હોવા છતાં મરે છે, શોક કરે છે. એ પરિભ્રમણ મટાડવું હોય તો એ ભાગીદારી ધીમે ધીમે ઓછી કરવી જોઈએ. એ કેમ થાય ? એ તો જ થાય જો તમે ચારિત્ર્યનો માર્ગ, તપનો માર્ગ સ્વીકારો. આ બધા માર્ગ દેહની ભાગીદારી ઓછી કરવા માટે છે. દેહના કારણે જીવ નીચે ઊતરી જાય છે. જડની મુઘલોના છેલ્લામાં છેલ્લા બાદશાહ અહમદશાહની પડતી થઈ. પૌદ્ગલિક જાહોજલાલી એકસરખી રહેતી નથી. જ્ઞાનીઓએ કહ્યું કે એમન માનીશ કે તને રાખતાં આવડે છે એટલે રહ્યું છે અને રહેવાનું. પુણ્ય પરવારી જશે તો પૈસા પગ કરશે અને પછી તેને રોકી નહિ શકે. બુદ્ધિશાળી માણસો સાત પેઢી સુધી ચાલે એટલો સંગ્રહ અને એવી વ્યવસ્થા કરી જાય, છતાં પણ બીજી પેઢી સુધી પણ ન પહોંચે. અહમદશાહની એવી જ અવસ્થા થઈ. સૈનિકોનું, નોકરોનું દેવું વધી ગયું. ચૂકવી ન શક્યો અને મધરાતે જેમ ચોર ભાગે તેમ દિલ્હી છોડીને એ ભાગ્યો. પણ એના સૈનિકો એને છોડે એમ નહોતા. અહમદશાહને પકડ્યો અને પિંજરામાં પૂર્યો. જેલમાં ફેંકાઈ ગયો, ખૂબ હેરાન થયો. પુદ્ગલ શું હેરાન કરે છે ! પૂરું ખાવાનું કે પીવાનું મળે નહિ. ઉનાળાનો દિવસ છે, જેલમાં બેઠો છે, ખૂબ તરસ લાગી છે, પાણી પાણી કરે છે. એક સૈનિક પાસે પાણી માગ્યું, કહ્યું કે અલ્લાહની ખાતર પાણી આપ. જે ભીંતોએ ભીખ માગતો આ અવાજ સાંભળ્યો હશે તેને પણ આંસુ કેમ નહિ આવ્યાં હોય ? હીરા-પન્ના પહેરનારો પાણી વગર તરફડે ! સૈનિકને દયા આવી. ઠીકરામાં પાણી આપ્યું. કહે કે વાસણમાં કોણ આપે ! તું મુસલમાન છે. દિલ્હીનો બાદશાહ પાણી પીએ છે. ફરીથી નહિ મળે એમ માનીને ફરી ફરીને પીએ છે. માણસ કેટલો બધો નીચે ફેંકાઈ જાય છે ! ત્યારે તો પેલા કોહિનૂર હીરાને પણ થયું હશે કે પાછો કોલસો થઈ જાઉં ! મુગટ પહેરનારો ઠીકરામાં પાણી પીએ ! માણસની, સમ્રાટની આવી અધમ અવહેલના ! સમૃદ્ધિનો પડછાયો માણસને જ બદલી નાખે. પુદ્ગલની આ અવસ્થા બતાવી ચિંતકોએ કહ્યું કે આત્મા પુદ્ગલના સંગે Jain Education International પૂર્ણના પગથારે ૨૦૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy