SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ વાર ધનવાન બને, કોઈ વાર નિર્ધન બને, કોઈ વાર સુખી બને, કોઈ વાર દુઃખી બને. વિચારકને થાય કે આ પુદ્ગલ મને ગમે ત્યારે અને ગમે તેમ નચાવે છે તો તેનાથી હવે નથી નાચવું. જે વસ્તુ મને નચાવે તેને હું નચાવું. આત્માને મરવાનું નથી, જન્મ-મરણ નથી, દુઃખ નથી પણ પુદ્ગલની ભાગીદારીને લીધે આત્મા હીન અને દીન બની જાય છે. બધા આત્મા સરખા હોવા છતાં એક મોટો અને બીજો નાનો એમ ભેદ પડે છે તે શાને લીધે ? પુગલને લીધે જ ને ! કોઈકની પાસેથી મેળવવાનું છે, જરૂરિયાત છે, એટલા માટે આપણે મન એ મોટો છે. માના એક વચને શાલિભદ્રને જગાડ્યો. રાજા શ્રેણિક મળવા ગયા ત્યારે ગોભદ્રમાતાએ ઉપર જઈ શાલિભદ્રને કહ્યું, “આપણો ધણી આવ્યો છે.” શાલિભદ્રે પૂછ્યું, “ધણી કોણ ?” તો માએ કહ્યું, “શ્રેણિક ગામધણી છે. ધારે તો આપણને ન્યાય કરે અને ધારે તો આપણને લૂંટી લે.” શાલિભદ્રને થયું કે આ દેહ છે તો ધણી છે. માટે આ દેહ જ ન જોઈએ. મારે દાસ નથી બનવું. મને ધણીપણું નહિ જોઈએ. માને એણે પૂછ્યું : “મા, જેમ એ આપણો ધણી છે તેમ ભગવાન મહાવીરને ધણી ખરો ?” માએ કહ્યું, “ભગવાનને ધણી કેવો !” શાલિભદ્રને થયું કે ભગવાન મનુષ્ય અને આપણેય મનષ્ય. ભગવાનની પાસે કાંઈ જ નહિ અને મારી પાસે આટલું બધું સંપત્તિનું સુખ હોવા છતાં મારે માથે ધણી ! જે ભગવાનના માર્ગે જાય તેને કોઈ ધણી નહિ. તો હુંય તે માર્ગે શાને ન જાઉં ? વૈભવ છોડી એ દીક્ષા લેવા નીકળ્યા ! જે લોકોએ આવું ખમીર બતાવી ત્યાગ કર્યો એ અમીર બની ગયા. કપડાંથી કરેલો ત્યાગ લાંબો નથી ચાલતો. છ મહિને રંગ ઊતરી જાય છે. ત્યાગનો રંગ ક્યારે ટકે ? અંદરથી આવે ત્યારે. હળદરમાં રંગેલાં પીળાં કપડાં પાણી કે તડકો ન લાગે ત્યાં સુધી રંગ રહે; પણ જેવા પાણી કે તડકાના સંપર્કમાં આવે કે રંગ ઊતરી જાય. ઘરે કજિયા થાય, અનુકૂળતા ન હોય અને પ્રતિકૂળતાને લીધે દીક્ષા લઈ નીકળી પડે એ હળદરિયો રંગ કહેવાય. મનમાં વૈરાગ્ય નથી આવ્યો, જીવનમાં મુસીબત આવી છે. - ત્યાગ વૈરાગ્યથી આવે છે. વૈરાગ્ય ક્યારે આવે ? જ્ઞાનથી. પુદ્ગલની આત્મા પર થતી અસર સમજાય, પુદ્ગલને લીધે મારે ભટકવું પડે છે તો એ હવે ઓછું કેમ થાય એ વિચારણા જાગે ત્યારે વૈરાગ્ય આવે. પુદ્ગળના સંગના પરિણામે બધી અવદશાઓ ઊભી થાય છે, અંદરનું સ્વામિત્વ દબાઈ જાય છે અને દાસપણું ઉપર આવે છે. કર્મબંધન વસ્તુમાં નથી, પણ આસક્તિમાં છે. વર્ષોની સાધના પછી, વર્ષોના ચારિત્ર્ય પછી, વર્ષોના ધી રંગ એ ફદરમાં રંગેલાં પીળા છે. ૨૦૮ = જીવન-માંગલ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy