SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ગાડામાં બેઠેલો પોટલું માથે મૂકે અને માને કે મેં બળદનો ભાર ઓછો કર્યો છે ! આ જ રીતે ગામનો આધાર બનીને કોઈ કહે કે તારો ઉદ્ધાર હું કરીશ. એક બાજુ કહે કે હું અશરણ છું અને બીજી બાજુ લોકોનો આધાર બનવા માગે છે. તને તારો જ આધાર નથી તો બીજાનો આધાર કેમ બનીશ ? લાકડું પોતે સડી ગયું હોય તો બીજાનો ટેકો કેમ બની શકે ? ગાડામાં બેસીને ભાર નીચે મૂકવાને બદલે માથા ઉપર મૂકે તો તું હળવો થવાને બદલે ભારે થઈશ. લોકો અહમુને ભાર લઈને બેઠા છે. જે ઘડીએ આ ભાર ફેંકી દે તે જ ક્ષણે નિશ્ચિત. કોઈ તમને કહે કે તમે મારા આધાર છો તો કહો કે સહુનો આધાર ભગવાન છે, હું તો ફક્ત નિમિત્ત છું. તારી તરસ પાણીથી છીપવાની છે. હું તો માત્ર પ્યાલો ધરીશ. તરસ પ્યાલો નથી છિપાવતો, તરસ તો પાણીથી છિપાવાય છે, તમે સરસ નિમિત્ત બની શકો. પછી માથા ઉપર કોઈ બોજો નહિ. આ રીતે અહંના ભારથી હળવા થાઓ. તમે તમારી જાતને પૂછો કે મને જગ્યાને કેટલાં વર્ષ થયાં ? મેં શું કર્યું ? દુનિયામાં પ્રેમ અને મૈત્રીની હવા કેટલી ફેલાવી ? ભલાઈનાં કામ કેટલાં કર્યા ? મારું જીવન ગ્રંથિ વગરનું છે ખરું ? મનમાં ગાંઠ હશે તો નહિ ચાલે. ગાંઠવાળા દોરાની ગાંઠ ભલે દૂરથી ન દેખાય પણ મૃત્યરૂપી સોયમાં દોરાને પસાર થતી વખતે ગાંઠો હશે તો અટકવું પડશે. વેર અને બૂરાઈ કદાચ જગતમાં ચમકતાં પણ દેખાય પણ મુક્તિરૂપી સોયના દ્વારે તો એને અટકવું જ પડશે. આત્મા છું એનો અનુભવ થવો જોઈએ. અરીસામાં શરીર દેખાય છે પણ તેની પાછળ આત્મા દેખાય તો સમજવું કે પહેલું પગથિયું ચઢચા. અરીસામાં આંખ, નાક, કાન વગેરે દેખાય, વર્ણ કાળો છે કે ધોળો છે એ બધું દેખાય, પણ બીજું કંઈ દેખાય છે ? શરીરનો વર્ણ દેખાય છે, પણ આત્માનો રંગ દેખાય છે ? આત્મા નિરંજન છે. રંગરહિત છે. કાળો, ધોળો, પીળો એ બધા રંગ દેહના છે. એ રંગની પાછળ નિરંજન બેઠેલો છે. રંગની મહત્તા નિરંજનને લીધે છે. એ નિરંજન નીકળી ગયો પછી ગમે તેવી સૌંદર્યવતી આકૃતિ હોય પણ તેની કશી કિંમત નથી. રંગ વગરનાનો આ રંગ છે ! જે લોકો આ શરીરને સલામ ભરતા હોય, આ શરીરને સૂવા માટેની પથારીની પણ કાળજી કરતા હોય, એ જ સ્વજનો આ નિરંજન નીકળી જતાં આ શરીરને લાકડામાં મૂકતાં વાર નહિ લગાડે. પૂર્ણના પગથારે ૪ ૨૦૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy