SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનમાં કોઈ વસ્તુ કઠણ લાગે તો તેના ઉપર સતત પ્રયત્ન કર્યા કરો. એકાંતમાં બેસશોતે ગમશે નહિ પણ ટેવ પાડવાની જરૂર છે. ખરાબ ટેવો સામે સારી ટેવો મૂકવાની છે. જેમ પાણી પંપથી ઉપર ચઢે તેમ સાધનના શ્રમથી જીવન ઉન્નત બને છે. લોકો એમ માનીને બેઠા છે કે અમારે જે કરવાનું છે તે ભગવાન ક૨શે, મહારાજ કરશે, અવતારી પુરુષ કરશે. પણ, પોતાના પુરુષાર્થ વગર કંઈ થવાનું નથી. કહે છે કે તુકારામને લેવા સ્વર્ગમાંથી વિમાન આવ્યું હતું. એ Symbolic (પ્રતીકાત્મક) છે. શ્રેષ્ઠ જીવનનું વર્ણન કરવાની આ એક પૌરાણિક રીત છે. માણસનું જીવન એટલું સરસ બને કે એને સત્કારવા માટે પૃથ્વીના રથ નહિ પણ દેવલોકનાં વિમાન આવે ! એટલી ઉચ્ચ ક૨ણી કરો કે સ્વર્ગને સ્પર્શે. એનો અર્થ એ નથી કે પ્રયત્ન ન કરો છતાયં તમે તરી જાઓ ! મહેનત તો કરવી જ પડે. સાચાને મદદ મળે છે, ખોટાને નહિ. હૃદયથી સાચા બનવાનું છે. બહારથી ખરાબ દેખાઓ એનો વાંધો નથી, પણ સુખના સૌંદર્યની અનુભૂતિ કરવા અંદરથી તો સારા જ થવાનું છે. ભગવાને કહ્યું કે ઉપવાસ ક૨વો સહેલો છે પણ ધ્યાન ધરવું કઠણ છે. શરીરને તકલીફ આપવી સહેલી છે પણ મનને કેન્દ્રિત કરવું કપરું છે. સ્વાધ્યાય, ચિંતન, ધ્યાન શેનાથી થાય ? મન પલાંઠી વાળીને બેસે ત્યારે થાય આપણે ખાલી શરીરથી પલાંઠી વાળીને બેસીએ છીએ. કોઈએ કહ્યું કે જૈન ધર્મમાં તપ ઉપર ભાર આપે છે પણ એ અર્ધસત્ય છે. ખરું તપ તો ધ્યાનથી શરૂ થાય છે. તપના કેટલા પ્રકાર છે ? સ્વાધ્યાય અને ધ્યાન એ તપ છે. આ તપની પરાકાષ્ઠા એ છે કે એમાં શરીર પણ ભુલાઈ જાય, એકાગ્રતા સહજ બની જાય ! ભગવાન મહાવીરની સાધનામાં બાહ્ય તપ એ તો સ્વાધ્યાય અને ધ્યાન રૂપી અત્યંતર તપનું પગથિયું છે. સ્વાધ્યાય અને ધ્યાન માટે જ તો સામાયિક છે. સામાયિકમાં બેસો એટલે મન જરા શાંત થાય. જે વસ્તુને તરંગોએ છુપાવી છે એ નિસ્તરંગ અવસ્થામાં દેખાય. સામાયિકમાં બેસો છો ત્યારે થાય કે આ સામાયિક કોણ કરે છે ? શરીર બેઠેલું છે પણ મન તો ક્યાંય ભમે છે ! એક ભાઈએ પ્રશ્ન કર્યો કે સામાયિક કરવાથી, માળા ફેરવવાથી શો ફાયદો ? કારણ કે ચિત્ત તો ભમ્યા જ કરે છે. મેં કહ્યું કે આજ સુધી ચિત્ત ભમે છે એનો ખ્યાલ નહોતો. હવે સામાયિક કરવા બેઠા એટલે ખબર પડી કે ચિત્ત ભમે છે. Jain Education International પૂર્ણના પગથારે * ૨૦૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy