SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ નયનમાં પ્રસન્નતાની જ્યોત હોવી જોઈએ, પણ તમારે જ્યારે નરકનું વર્ણન કરવાનો સમય આવે ત્યારે તો રોજના આ ચાલુ ચહેરાથીય કામ ચાલી શક્શે !'' આ વાક્ય સામાન્ય છે, પણ એમાં કેવો કટાક્ષ છે ! લોકો એવું જીવન જીવી રહ્યા છે કે એ લોકોને નરકનું વર્ણન કરવા નવો ભાવ લાવવાની જરૂર નથી, માણસના જીવનને વર્તમાનકાળ નિરાશામય છે. સંપત્તિવાળો પણ આનંદની સુરખી લઈને નથી આવતો. માણસ વાત કરતો હોય કે વાચન કરતો હોય, પણ અંદરથી જે સહજ આનંદની સુરખી, જે સહજ પ્રસન્નતા આવવી જોઈએ તે કેમ નથી આવતી ? શું સાધનોનો અભાવ છે ? સાધનોવાળા પણ ચિત્તની સહજ અવસ્થાનો અનુભવ નથી કરી શકતા, કારણ કે માણસના જીવનમાં આત્મજ્ઞાનનો અભાવ છે, અને તેથી જાણે એ મૃત જીવન જીવે છે; જીવનમાં જ મૃત્યુનો અનુભવ થઈ રહ્યો છે. જીવનમાં અમૃતનો અનુભવ ક્યારે કરી શકાય ? પરિસંવાદ પ્રગટે ત્યારે ! મહેમાનની જેમ પૈસો આવે તો કહો કે ‘સત્કાર કરીશું' અને જાય તો કહો કે ‘આવજો' ! આવે તો સદુપયોગ અને જાય તો સમતા ! આમ જીવન સમજવાની કળા આત્માને જાણ્યા વિના પ્રાપ્ત થતી નથી. માણસ બધી રીતે તૈયાર થાય છે, પણ આત્મારૂપી મીઠાશનો અનુભવ નથી એટલે એનું જીવનરૂપી ભોજન ફિક્કું બની જાય છે. જીવનને મીઠું બનાવવાની કળા આવડે પછી અભાવમાં પણ આનંદ મેળવી શકાય. અંદરનું મશીન જ બગડેલું હોય ત્યાં dial (ડાયલ) ગમે તેટલું સુંદર દેખાતું હોય તોય શું કામનું ? શરીર એ તો ડાયલ છે, ખરું અંદરનું યંત્ર તે ચૈતન્ય છે. જિંદગી પૂરી થાય છે વાદ અને વિવાદમાં ! પણ જ્યારે પરિસંવાદ થાય છે ત્યારે જિંદગી પૂરી થતી નથી પણ પૂર્ણતા પ્રાપ્ત કરે છે. આજે એક હજારમાંથી ૯૯૯ માણસો જિંદગી પૂરી કરે છે અને એ પૂરી ન કરે તો એમનો કાળ એમને પૂરા કરે છે. સવારનાં ઊઠે ત્યારે ચિંતાનો મુગટ પહેરીને નીકળે, વાળમાં ગોઠવીને નીકળે. રાતના સૂએ ત્યારે વાળ વીખરાય, પણ ચિંતા ન વીખરાય. માથામાં ઓળેલી ચિંતા રાતના ઊંઘમાં આવે, સ્વપ્નામાં આવે, બેચેની ઊભી કરે, ચિંતાભર્યા દિવસ અને રાત માણસની જિંદગી પૂરી કરે છે. એને તો ખ્યાલેય નથી કે એની જિંદગી પૂરી થાય છે. પૂરી થતી જિંદગીમાં પણ કેટલાક તો માને છે કે જિંદગી સફળ કરીએ છીએ ! કઈ રીતે ? થોડા પૈસા કમાયા, કારખાનાં ઊભાં કર્યાં, છાપામાં નામ ચમક્યાં આ એમનો આનંદ ! અને આ એમની સફળતા ! જેટલી બહારની વસ્તુ વધારે એટલું જ એમાં મન રોકાય છે, પછી Jain Education International પૂર્ણના પગથારે મેં ૨૦૧ For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy