SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ પરિસંવાદ એ અધ્યાત્મની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવા માટેની નિસરણી છે. ચિંતન એ એનાં પગથિયાં છે. જેમ જેમ પગથિયાં ચઢીએ તેમ તેમ પ્રકાશ અને સ્વસ્થ અવસ્થાનો અનુભવ થાય છે. આત્માની દુનિયામાં ભયમાત્રનો અભાવ છે. ત્યાં અભયના પ્રકાશનો જ અનુભવ છે. આ જીવે ગામના લોકો સાથે ખૂબ વાત કરી. મિત્રો સાથે ખૂબ વાત કરી, પત્ની સાથે વાત કરી, સ્નેહીઓ સાથે પણ વાત કરી. આમ દુનિયામાં વાદ અને સંવાદ તો ચાલે છે, પણ પરિસંવાદ ક્યારે થાય કે જ્યારે આત્મા પોતાની સાથે વાત કરતો થાય, પોતાની સાથે બેસીને મીમાંસા કરે; વિચારણા કરે, પ્રશ્ન કરે હું કોણ છું ? મારું સ્વરૂપ શું છે ? હું શું કરવા આવ્યો છું ? મારે અહીં આવીને શું પામવાનું છે ? મારી સાથે શું આવવાનું છે ? હું જે જીવન જીવું છું, સંસારમાં દોટ લાગાવી રહ્યો છું એનો હેતુ શો છે ? મારા જીવનમાં ચારે બાજુ આ જે ચોવીસે કલાક ધાંધલ, ધમાલ, અશાંતિ મૃત્યુ દેખાઈ રહ્યાં છે એ બધું શું છે ? જેમ પાણીમાંથી પરપોટા ઉત્પન્ન થાય તેમ આ વિચારોમાંથી પ્રશ્નો ઉત્પન્ન થાય છે. આ પ્રશ્નોની પણ એક ભૂમિકા છે. મોટા ભાગના માણસોને આ પ્રશ્નો ઉપસ્થિત જ થતા નથી. પરિસંવાદમાં બીજાની જરૂર જ નથી. સંવાદમાં સામી વ્યક્તિ પાસેથી ઉત્તરની અપેક્ષા રખાય છે, પણ પરિસંવાદમાં આત્મા પોતાની પાસેથી જ ઉત્તર મેળવે છે. અંદરથી જવાબ મેળવવા માટે અભ્યાસ કરવો પડે છે. મનની સ્થિરતાથી ચંચળતાનો અભાવ ઉત્પન્ન થાય છે, પછી ચિત્ત એક એવી ભૂમિકાએ પહોંચે છે જ્યાં એને સહજ ઉત્તર મળે. કોઈ એને Inner voice આત્માનો અવાજ કહે છે પણ જ્ઞાની એને પરિસંવાદમાંથી મળેલો પ્રત્યુત્તર કહે છે. ચિત્ત સ્વસ્થ બને છે ત્યારે અંદરથી ઉત્તર મળે છે. કેળના થંભ પરથી એક પડ કાઢો તો અંદરથી કોમળ પડ નીકળે છે તેમ પરિસંવાદમાં અંદરથી સૂક્ષ્મ ઉત્તર મળે છે. માનવી પોતાના સ્વરૂપનો વિચાર કરે તો જ એને જ્ઞાન અને ભાન થાય. જેને જ્ઞાન અને ભાન નથી તે સામાન્ય જીવન જીવે છે, જે અર્થહીન જીવન છે. વક્તૃત્વકલાના વર્ગ આગળ એક પ્રસિદ્ધ વક્તાએ અસરકારક વક્તૃત્વ કેમ કરવું તેના નિયમો સમજાવતાં કહ્યું, “તમે જે વિષય પર પ્રવચન કરતા હો તેને અનુરૂપ અભિનય અને ભાવ એ બહુ મહત્ત્વની વસ્તુ છે. દાખલા તરીકે તમે સ્વર્ગના સુખનું વર્ણન કરતાં હો ત્યારે તમારો ચહેરો દેદીપ્યમાન હોવો જોઈએ અને તે સ્વર્ગીય સુખની સુરખીથી ચમકવો જોઈઅ. તમારાં Jain Education International ૨૦૦ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy