SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ હું જ્યારે પંચમહાલ જિલ્લામાં વિહાર કરતો હતો ત્યારે માર્ગમાં મને એક બહારવટિયો મળ્યો, જે ઘણાનાં ખૂન કરી ચૂક્યો હતો, ઘણાને મારી ચૂક્યો હતો. અમારે ત્યાંના પહાડોમાંથી થઈને નીકળવાનું થયું. ત્યાં એ બહારવટિયાની ઝૂંપડી આગળ જ અમારે મુકામ કરવાનો વારો આવ્યો. સાંજે ફરતો ફરતો એ મારી પાસે આવી ચડ્યો. એ આવ્યો, થોડી ભાંગી તૂટી વાતો થઈ. વાતો કરતાં કરતાં એની સાથે એક કૂતરો હતો તેને એ પ્રેમથી રમાડતો હતો, એના પર હાથ ફેરવતો હતો. આ દશ્યમાં મને જીવનનું એક નવું દર્શન સાંપડ્યું : ક્રૂરમાં ક્રૂર આદમીમાં પણ પ્રેમ ! માણસોને મારનાર, ગોળીઓ ચલાવનાર અને નિર્દય રીતે તલવાર વીંઝનાર આદમી પણ કૂતરા પ્રત્યે પ્રેમ બતાવી રહ્યો હતો. એટલે મને લાગ્યું કે માનવીના એક ખૂણામાં ઊંડે ઊંડે પણ ક્યાંક પ્રેમનું દર્દ છે, અને તેને લીધે એ એમ માને છે કે કોઈક ઠેકાણે કરુણામય, પ્રેમમય બનવું જોઈએ. માણસ જ્યારે માણસ પ્રત્યે કરુણામય નથી બની શકતો ત્યારે એક જાતનું પ્રેમનું છૂપું અવ્યક્ત સંવેદન છે અને તેથી જ કુતરાને પંપાળતા અંદરના એ તત્ત્વને સંતોષીને એવું consolation (સમાધાન) મેળવે છે કે દુનિયામાં ભલે હું બધે ક્રૂર છું પણ કૂતરાને માટે હું કરૂણાવાળો છું, હું પ્રેમ કરી શકું છું. આ વાતનું ઊંડાણથી ચિંતન કરશો તો આપને પણ લાગશે કે દરેક માનવીના હૃદયના એક ખૂણામાં આ એક એવું તત્ત્વ પડ્યું જ છે, જે હરહંમેશ કરુણાને પ્રેરે છે અને માનવતાને પૂજે છે. આ તત્ત્વ જેમ જેમ વિકસતું જાય તેમ તેમ માનવ પૂર્ણ બનતો જાય છે; જેમ જેમ આ તત્ત્વ ઢંકાતું જાય છે, તેમ તેમ માનવ પશુ બનતો જાય છે. આપણે આ પક્ષીઓને ઉડાડીએ એની પાછળ પણ આ જ તત્ત્વ છે કે બંધનમાંથી પંખીને મુક્ત કરીએ. એ સાથે આપણી માનવતા જે આજે બંધાયેલી છે, પૂરાયેલી છે, ઢંકાયેલી છે એ ખીલી ઊઠે અને આપણામાં રહેલું દયાનું ઝરણું એકદમ વહી જાય. પંખી ઉડાડનારને સહજ રીતે એક પ્રશ્ન તો આવી જવાનો કે આ કબૂતરને મુક્તિ આપનાર હું પ્રાણીસૃષ્ટિ પ્રત્યે કરુણાળુ છું ખરો ? આ વિચાર પુનઃ પુન: આવે તો માનવમાં રહેલી દિવ્ય શક્તિ પ્રગટ થાય, પ્રજ્વલિત થાય અને પ્રબુદ્ધ થાય. “પ્રાણી-મૈત્રીદિન' એટલે પ્રાણીમાત્રને મિત્ર કલ્પો અને પ્રાણીસૃષ્ટિને મિત્રની દૃષ્ટિથી જુઓ. “મિત્રી વસુસી ઘર” – સૃષ્ટિને મિત્રની આંખથી જુઓ. બસ, તમારી નજર બદલાઈ જાય તો દુનિયાને માટે તમારે શું કરવું એ તમને ઉપદેશ દેવા અને કહેવા નહિ આવવું પડે. આજ સુધી તમે સહુને પરાયા ગણો પૂર્ણના પગથારે જ ૧૯૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy