SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ આટલા લોકો હોવા છતાં આજે ગરીબી છે, નિર્ધનતા છે, પરેશાની છે અને દુષ્કાળનો સામનો નહિ કરવાની નિર્બળતા છે આપણને ખબર હોત કે આપણે શું કરવાનું છે તો ચાલીસ કરોડ માનવી આવી ખરાબ હાલતમાં ન હોત. આજે વિચા૨ ક૨વાનો છે કે આપણે શું કરવાનું છે. વિધેય માટે ત્રણ વાત છે. પહેલી વાત અપરિગ્રહ છે. જ્યાં સુધી પરિગ્રહ છે ત્યાં સુધી અહિંસા નથી આવતી. પરિગ્રહ અને અહિંસા સાથે નથી રહી શકતાં. પરિગ્રહ એટલે સંચય, પરિગ્રહ એટલે ભેગું કરવું, પરિગ્રહ એટલે બીજા જે વસ્તુ માટે ટળવળતા હોય તે પોતાની પાસે હોવા છતાં એમાંથી આપવું નહિ અને સંગ્રહવૃત્તિ રાખવી. આવી વ્યક્તિ અહિંસક કેવી રીતે બની શકે ? ધનનો સંચય ક્યારે થાય ? શોષણ વિના સંચય નહિ અને શોષણ હોય ત્યાં અહિંસા ન હોય. ‘ર્મા, મનસા, વાપા’ કાં તો કર્મથી, કાં તો મનથી કે પછી વાચાથી હિંસા તો થાય જ. અહિંસક બનવું હોય તો અપરિગ્રહી બનવું પડશે. જેટલા અંશે અપરિગ્રહી બનશું એટલા અંશે આપણે સાચા અહિંસક બનીશું. એટલે જ ભગવાને સાધુને કહ્યું : “હે સાધુ, જો તારે અહિંસક બનવું હોય તો પહેલાં અપરિગ્રહી બની જા.'' અને જે વધારે પરિગ્રહી છે એ કદી પણ અહિંસક નથી બની શકતો અને જો અહિંસક બની શકતો હોય તો અમારે કહેવું પડશે કે અમૃત અને વિષ સરખાં નથી. તેવી જ રીતે પરિગ્રહ અને અહિંસા જુદાં છે. તો અહિંસા લાવવા માટે આપણે અપરિગ્રહની ભાવનાને વિસ્તારવી પડશે. ભય અને હિંસા પરિગ્રહમાંથી જન્મ લે છે. આપણે જો અભય થવું હોય કે અહિંસક થવું હોય તો આપણે અપરિગ્રહી બનવા માટે પહેલો પ્રયત્ન કરવો પડશે. બિહારના માનવીઓ અને પશુધન માટે તમે ‘કાંઈક' કરો છો એ વિચારે તમારી ભાવના પુતિ થશે. તમને દાન કરવાની આ તક મળી છે એની પાછળ ભાવના કામ કરે છે. માનવતા પ્રબુદ્ધ થાય તો દેશમાં દારિત્ર્ય રહે ખરું ? પ્રબુદ્ધ થયેલી માનવતા એક કે બીજી રીતે ઘણાં કામ કરી શકે. એક રીતે નહિ પણ હજાર ૨ીતે મદદ કરી શકાય. કોઈ કપડાંથી કરી શકે, કોઈ અનાજ આપીને કરી શકે, કોઈ પૈસા આપીને કરી શકે, કોઈ બિહાર જઈને કરી શકે અને કોઈ બિહારની એ સુષુપ્ત પ્રજાને જાગ્રત કરીને પણ સેવા કરી શકે. Jain Education International ૧૯૬ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy