SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ એટલા જ માટે એ સમજવાનું છે કે જેવી રીતે યુવાની એક અવસ્થા છે, ઘડપણ એક અવસ્થા છે, તેવી રીતે મૃત્યુ પણ એક અવસ્થા જ છે. વસ્તુ ટકી રહે અને આકાર બદલાઈ જાય, એનું નામ અવસ્થા કહેવાય. મૃત્યુની પહેલાં પણ જીવન હતું અને મૃત્યુની પછી પણ જીવન રહેવાનું છે, અને પૂર્ણ સત્ય એ છે કે મૃત્યુ જીવનને મારી શકતું નથી. જીવન એ અક્ષય છે, અખંડ છે, શાશ્વત છે. યૌવન અને વાર્ધક્યની જેમ મૃત્યુ માત્ર એક પરિસ્થિતિ છે. આ શૈશવ, આ યૌવન, આ ઘડપણ અને આ મૃત્યુ, આ આકારો બદલાય પણ જીવન જે નિરાકાર છે તે શાશ્વત રહે. આ ભાવના સર્વત્ર ફેલાવવી જોઈએ. આજ મરણની ભીરુતા આવી છે. એનું કારણ ધર્મના નામે દીવાલો ઊભી કરી છે. દીવાલોને લીધે આપણે વહેંચાઈ ગયા છીએ. અને જ્યાં દીવાલો છે ત્યાં પછીનું દર્શન જતું રહે છે. ચક્ષુનો અંધાપો આવી જાય તો વાંધો નથી, પણ વિચારોનો અંધાપો ન આવવો જોઈએ. ચક્ષુના અંધાપામાં સ્થળૂ વસ્તુઓ નથી દેખાતી પણ ધારો તો સૂક્ષ્મનો અનુભવ કરી શકો. પણ વિચારોના અંધાપામાં તો સૂક્ષ્મ વસ્તુઓ જ નથી દેખાતી અને ચક્ષુ કદાચ ન હોય તો પ્રજ્ઞા વડે કરીને પણ આંતરચક્ષુથી વસ્તુઓ જોઈ શકાય છે, પણ જો આંતરચક્ષુ ચાલી ગયાં, દીવાલોમાં મન અટવાઈ ગયું, તો પરમ સત્યનું દર્શન તમે નથી કરી શકવાના. એટલે વિચારોનો અંધાપો તો બહુ ખરાબ છે, સત્યદર્શનની લગન લાગે તો જ આ અંધાપો જાય. આ દીવાલો તૂટી જાય તો માણસ એકબીજાની નજીક આવે અને જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ માણસમાં વસેલ ચૈતન્યનું દર્શન થતું જાય. આપણી આંખની આડે જેટલા અંતરાયો છે, જેટલાં આવરણો છે, એ વસ્તુને ઓળખવામાં મુશ્કેલી ઊભી કરે છે. આત્મસત્તાને ઓળખવામાં જો અંતરાય કરનાર કોઈ હોય તો તે સંપ્રદાયનાં આવરણો છે, બીજું કાંઈ નથી. એટલે મહાપુરુષોએ કહ્યું કે તારે બનવું નથી પડતું, જાણવું પડે છે; લાવવું નથી પડતું ઓળખવું પડે છે; અને બહારથી મેળવવું નથી પડતું પણ અંદરથી ઉંઘાડવું પડે છે. એક પાંચ વર્ષનો રાજકુમાર હતો. એ રાજકુમારને કોઈ ચોરો આવીને ઉઠાવી ગયા; એને પોતાને ત્યાં રાખીને તૈયાર કર્યો. એ રાજકુમાર ચોરોનો રાજા બન્યો અને પહેલા નંબરનો શિકારી બન્યો. એ વાતને પંદર વર્ષ વીતી ગયાં. એક દિવસ રાજા શિકારે નીકળે છે. ત્યાં પેલો ચોરોનો રાજા પણ શિકાર Jain Education International પૂર્ણના પગથારે * ૧૮૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy