SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા નીકળ્યો છે. બંને જણા મળી જાય છે. રાજાએ ચોરની સામે જોયું, અને એના હૃદયમાં પ્રેમનો સ્રોત વહેવા લાગ્યો. રાજા વિચારે છે : આમ કેમ ? મારું હૃદય કેમ તણાય છે ? અને હૃદય તણાય છે એ ઉપરથી લાગે છે કે આ ચોરને અને મારે કંઈ સંબંધ હોવો જોઈએ. એટલામાં એણે ધારીને જોયું તો એના કપાળમાં એક સુંદર લાબું હતું. અને એને યાદ આવ્યું કે મારા રાજકુમારને પણ આવું લાબું હતું. છોકરાને ગુમાવ્યાને પંદર વર્ષ થયાં. એ વખતે છોકરો પાંચ વર્ષનો હતો. આજે એ વીસ વર્ષનો હોય. જોયું તો શિકારી પણ વીસ વર્ષનો હતો, એટલે રાજા એની પાસે ગયો અને પૂછ્યું : “તું કોણ છે ?” તો કહે, “હું ચોરોનો પલ્લીપતિ.” “તારા પિતા ક્યાં છે ?' તો કહે : બીમાર છે અને અત્યારે પલ્લીમાં છે.” રાજા કહે : “મને પલ્લીમાં લઈ જા.” ચોરોનો રાજા તેને ત્યાં લઈ જાય છે. રાજા પલ્લીપતિને પૂછે છે : “આ કોનો છોકરો છે ?” પેલો પલ્લીપતિ કહે છે કે, એ મારો છે.” “તમારો છે પણ મને મનમાં એવી અનુભૂતિ થાય છે કે આ છોકરો મારો છે.” “તમે કોણ ?' તો કહે : “વૈશાલીનો હું રાજા છું.” પેલા પલ્લીપતિની આંખો ભીની ભીની થઈ. એણે કહ્યું, “વાત સાચી છે. આજથી પંદર વર્ષ ઉપર હું જ્યારે લૂંટ ચલાવવા આવ્યો હતો ત્યારે એ લૂંટમાં આ સુંદર દેખાવડા રાજકુમારને પણ ઉઠાવી આવ્યો હતો, કારણ કે મને સંતાન નહોતું. મેં એને મોટો કર્યો, એને મારા પુત્રની ભાવનાથી રંગ્યો. મારે માટે એ પુત્ર છે, એને માટે હું પિતા છું. પણ આજ સાચા પિતા અને પુત્રનું મિલન થયું છે. તો રાજાએ નમ્રતાથી કહ્યું કે, મારી ગાદી ખાલી છે અને મારે પણ આ એકનો એક જ પુત્ર છે, એને હવે હું લઈ જાઉં છું.” પેલો પલ્લીપતિ કહે છે કે “બહુ સારી વાત છે, કારણ કે મારો પુત્ર અને તમારો પુત્ર એક જ છે. અને હવે એ ચોરને બદલે રાજા થાય એ જ શ્રેષ્ઠ છે.” રાજા એને લઈ જાય છે. ગાદી ઉપર બેસાડે છે, એ દિવસે એ રાજા બને છે, હુકમ કરે છે. અહીં રાજકુમારને બનવું નથી પડ્યું, રાજકુમાર તો હતો જ. પણ એને જાણ ન હતી. હવે જાણ થઈ કે હું રાજ કુમાર છું. આટલા દિવસ સુધી એ અજાણ હતો. જાણ થતાં હવે એ ગામના લોકોની ચોરી નથી કરતો. ગામના લોકોના ઘરમાં અંધારામાં ઘૂસી નથી જતો. હવે એ કહે છે કે આખી નગરી અને સમૃદ્ધિનો સ્વામી હું જ છું, કારણ કે એને જાણપણું થયું. એને જ્ઞાન થયું, એને અવબોધ થયો. એમ કહો કે “સ્વ” સ્વરૂપનું ભાન થયું ! જે ઘડીએ ભાન થયું તે ઘડીથી જ એ સ્વામિત્વ ભોગવે છે. નગરીના લોકોને એ આજ્ઞા કરી ૧૮૮ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy