SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ તો કહેશે : “બરાબર, એણે ખરી કમાણી કરી છે !” આ સાધનો ગયાં તો માણસ આખો જ ગયો. માણસ પોતે જાણે કંઈ જ નથી. આજે મનમાં દાસત્વ આવ્યું છે. આજ સુધી માણસને આધીન સાધન હતાં; હવે માણસ સાધનોને આધીન થયો છે. ઘોડા ઉપર માણસ હતો તેને બદલે માણસ ઉપર ઘોડો હોય એના જેવી આજે દશા છે. જગતની એવી પરિસ્થિતિ છે. એટલે ખરી રીતે જોશો તો જણાશે કે માણસ આજે સાધનો નીચે દબાયેલો છે; જે સ્વામી હતો તે આજે અનુચર બન્યો છે. આ અનુચર કદાચ બહારની દૃષ્ટિએ નહિ દેખાય, પણ માનસિક દૃષ્ટિએ અનુભવી શકશો. આ રીતે માણસનું મન દાસત્વ અનુભવે છે, અને તે ચેતનનું નહિ પણ જડ સાધનોનું. દાખલા તરીકે, તમે ગાડી વસાવી. તમે ગાડીમાં બેઠા. એ તમારું સાધન થયું. એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવામાં એ મદદ કરે છે. ધારો કે ગાડીમાં બેસીને તમે સભામાં પ્રવચન સાંભળવા આવો છો, અગર તમે જ જંગલમાં ધ્યાન ધરવા જાઓ છો, કે ક્યાંક સ્વાધ્યાય કરવા જાઓ છો, પણ માનો કે કોઈ દિવસ તમારી ગાડી બગડી ગઈ; તો તમે શું કરો છો ? કહેશો કે આજે હવે વ્યાખ્યાનમાં નથી જવું, કારણ કે આજે ગાડી બગડેલી છે. હું કહું છું કે ભાઈ, ગાડી બગડી ગઈ છે, પણ તું એથી કેમ ચાલતો બંધ થઈ ગયો ? આ થઈ જડ સાધનની ચેતના ઉપરની અસર. ઘણા કહે છે : “હવે અમારાથી ચલાય નહિ. અમે તો જરાય ન ચાલીએ. ગાડી વિના બહાર જવાવાળા એ આપણે નહિ.” પછી એ ધ્યાન, વ્યાખ્યાન જે કંઈ કરતા હોય તે બાજુમાં રહે. ગાડી જ્યારે પાછી આવે, ત્યારે પ્રવૃત્તિ ચાલુ થાય; ત્યાં સુધી બધું બંધ. એટલે માણસ કંઈ નથી, ગાડી મુખ્ય છે. માણસની મનોભૂમિકા ઉપર, માણસની માનસિક સ્થિતિ ઉપર સાધનની આ કેવી રીતે ઘેરી અસર છે ! જો માણસ એમ માનતો હોય કે એ સ્વાધીન છે તો તે બરોબર નથી ? એ તો સાધનનો અનુચર છે. આ અનુચરપણું પણ ધીમે ધીમે એના લોહીમાં એટલું બધું ઊતરતું જાય છે કે બાપ એનો વારસો દીકરાને દેતો જાય, ને દીકરો એના દીકરાને દેતો જાય. એમ કરતાં કદાચ એક દિવસ એવો પણ આવે કે, માણસને થાય કે બધું જ કામ સાધનો દ્વારા થાય છે. તો પછી માણસની કિસ્મત શી ? ગાય, ભેંશ અને બકરી દૂધ આપે ત્યાં સુધી કામનાં, પછી એ કતલખાને જાય. માણસની સેવા કરનારને છેલ્લે આમ કપાઈ મરવું પડે છે ! આ રીતે ૧૦ ક જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy