SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જેમ જેમ આવરણો ઊઘડતાં જાય છે, તેમ તેમ અંદરનો પ્રકાશ આવતો જાય છે. હીરો ખાણમાં પડેલો હોય ત્યારે મેલો હોય. ઉપર જેમ જેમ પૉલિશ થતું જાય તેમ તેમ પાસા પડતા જાય, અંદરથી કિરણો બહાર આવતાં જાય, પ્રકાશ આવતો જાય અને હીરો ચકચકિત બનતો જાય છે. પણ જ્યાં સુધી એનો કટ (cut) ન થાય, પૉલિશ ન થાય, એના પાસા ન પડે, અંદરનો ભાગ બહાર ન આવે ત્યાં સુધી હીરાનું તેજ કેમ પ્રગટે ? આપણો આત્મા પણ તેજથી ઝગમગતો છે, પ્રકાશથી ભરેલો છે, પણ કોઈ પાસા પાડનારો મળ્યો. નથી, કોઈ સિયો મળ્યો નથી. એને ઘસી ઘસીને એના ઉપરનાં આવરણોને ખસેડ્યાં નથી, એટલા જ માટે ભગવાને કહ્યું કે જ્ઞાન લાવવું પડતું નથી, પણ ઉઘાડવું પડે છે. એ બહારથી કાંઈ આવતું નથી, અંદર જ છે. ઉપર ઢાંકણ છે, એ ઊઘડી જાય તો પ્રકાશ અંદર જ છે. આનંદ પણ તમારી અંદર છે. તમે જો નિરુપાધિ અવસ્થામાં હો, તમારા ઉપર કોઈ ઉપાધિનો ભાર ન હોય, તમારી ઉપર ચિંતાની સમડીઓ ચક્કર લગાવતી ન હોય અને તમે દરિયાના કિનારે બેઠા હો તો પાણીના તરંગોમાંથી પણ તમને આનંદના તરંગો દેખાય, વનની શ્રીમાં તમે બેઠેલા હો તો એ વનશ્રી આખી આનંદથી ભરેલી લાગે, કોઈ પર્વતની ટોચ ઉપર બેઠા હો તો ત્યાં પણ પરમાત્માનાં દર્શન થાય, કારણ કે ચિંતાની સમડીઓએ ચક્કર લગાવવાનાં બંધ કર્યાં છે. પણ જ્યાં સુધી એ ચક્કર લગાવે છે ત્યાં સુધી અંદરનો આનંદ પ્રાપ્ત નહિ થાય. માણસ મંદિરમાં જાય, પણ એના મગજમાં બીજું જ કાંઈ ચાલતું હોય તો એને ભગવાનમાં પણ કાંઈ દેખાતું નથી. ક્યાંથી દેખાય ? તને તારામાં દેખાતું નથી તો ભગવાનમાં ક્યાંથી દેખાય ? તને તારામાં કાંઈ દેખાય તો જ ભગવાનમાં દેખાય. પોતાનામાં પોતે દેખાવું જોઈએ. જો એ પોતે જ જોઈ શકતો નથી તો ભગવાનને કેવી રીતે જોઈ શકે ? કાઠિયાવાડનો એક પ્રસંગ યાદ આવે છે. એક બાપુ ઓટલા ઉપર બેઠેલા, અફીણનો કસુંબો પીધેલો. ગુલાંટ ખાધી ને બાપુ ઓટલા પરથી પડી ગયા. બાજુમાં બેઠેલા ખુશામતિયાઓ બાપુને ઊભા કરવા ગયા. ત્યાં બાપુએ પૂછ્યું : ‘કોણ પડી ગયું ?' પેલા ખુશામતિયાઓ વિચારે કે હવે શું કહેવું ? એકે હિંમત કરીને બાપુને કહ્યું : ‘આપ પડી ગયા.' બાપુ ગર્જ્ય : ‘તમે... તમે શું કરતા હતા ત્યારે ?' એમ આ જીવને પોતાને જ ખબર નથી કે ક્યાં ચાલ્યો જાય છે અને Jain Education International ૧૭૮ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy