SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ગયો ?' કહે : ‘ખબર નથી. અમને સરનામું ખબર નથી પણ ક્યાંક ગયો તો છે.' જનાર માટે ત્યાં બધી ગોઠવણ થઈ ગઈ છે. કઈ ગોઠવણ ? કર્મની, પુણ્યની અને પાપની, કર્મની ગોઠવણને લીધે આ દોડાદોડ છે. મેં એવા માણસ જોયા છે કે તેમને કોઈ કહે કે મારો છોકરો માંદો છે, દવાની જરૂર છે. સો રૂપિયા આપશો ? તો કહે, ‘મારી શક્તિ નથી.’ પણ એનો એ જ માણસ ગધ્ધાવૈતરું કરી કરીને હજારો રૂપિયા એના દીકરાને આપીને ચાલ્યો જાય. જતી વખતે સંતોષ માને કે મારા દીકરાને માટે આટલા રૂપિયા પાછળ મૂક્યા છે. આની પાછળ શાનું જોડાણ છે ? લેણદેણનું. એ ગયા જન્મનું લેવા માટે આવ્યો છે. એટલે તમે સત્કર્મ માટે ન વાપરો, આત્મા માટે ન વાપરો, પોતાને માટે ન વાપરો, નજર સામે તરફડતો માણસ હોય એને માટે ન વાપરો પણ દીકરા માટે મૂકીને જાઓ. આ મમત્વની માયાએ માણસને કેવો બનાવી મૂક્યો છે ! એ માયાનો માર્યો પોતાના શ્રમના રૂપિયા મૂકીને જાય અને રાજી થાય, કે હાશ ! મારો દીકરો હવે સુખી થવાનો. પણ એને ખબર નખી કે સુખી થશે કે દુ:ખી થશે. માણસ જો ઊંડાણથી વિચાર કરે તો લાગે કે આ કર્મ રાજાની વિચિત્ર ગૂંથણી છે. અને આ ગૂંથણીને લીધે જ આખો સંસાર વણસૂચવ્યો, વણનિર્દેશ્યો અને વણઆલેખ્યો ચાલ્યો જાય છે. આ ગૂંથણીને જે લોકો સમજે છે એ લોકો કોઈ દહાડો ગૂંથાતા નથી; બંધાતા નથી. એ તો એમ કહે છે કે મારે તો મારું આ એક કર્મ હતું જે પૂરું થયું. હવે ફરી હું શું કરવા આ બધાની અંદર ગૂંથાઈ જાઉં ? આ જગતના બધા જ સંબંધોની પાછળ કર્મોનાં બંધનો પડેલાં છે. દાનાત્તરાયનો ઉદય કેવો છે ? તમને એમ નહિ થાય કે બિહારમાં અનાજ વિના ટળવળતા માણસો મરી જાય છે. લાવ, હું હજાર રૂપિયા આપી દઉં; પણ દીકરાને દુનિયાની મુસાફરી ઉપર જવું હોય તો ત્રીસ હજાર રૂપિયા આપી દો ! જ્ઞાની તો જાણે જ છે કે હું તો એક પ્રવાસી છું. સત્ છું. આ તો એક અવસ્થા છે. આ અવસ્થાનું ભાન થઈ ગયું પછી તમે દુ:ખી નહિ થાઓ, સ્વસ્થ રહેશો. કોઈ વિદાય થઈ જાય તો એમ નહિ માનો કે મરી ગયો, કહેશો કે જુદો પડ્યો, પાછો થઈ ગયો. અહીંથી ગયો પણ ક્યાંક થઈ ગયો. બીજી વાત, તું ચિત્ત છે. તું જ્ઞાનમાંય છે. તારી અંદર ખજાનો ભર્યો Jain Education International પૂર્ણના પગથારે * ૧૭૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy