SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ કહે છે કે ભગવાન મને જડતો નથી ! જ્ઞાનીઓ કહે છે કે તું તને જડી જા, તું તને ઓળખી લે, પછી ભગવાનને મળતાં વાર નહિ લાગે. એટલે જ આચારાંગ સૂત્રમાં કહ્યું : મે આયા, ાં નાળે સવ્વ નાળે. જો તું એકને જાણીશ તો સહુને જાણીશ. તું તને નહિ જાણે તો તું કોઈને નહિ જાણે. પોતાને જાણવાથી જ પરમાત્માને જાણી શકાય છે. આનંદનો અનુભવ ક્યારે થાય ? ચિંતાની સમડીઓથી જીવ મુક્ત હોય ત્યારે; પછી તમે જ્યાં જશો ત્યાં આનંદ આનંદ દેખાશે. 'सच्चिदानंद पूर्णेन' આ સત્ ચિત્ અને આનંદથી સભર છે, અમૃતથી છલકાતો આ કુંભ છે. ‘ઘૂળ નવેંચરે’ જે માણસ આવો પૂર્ણ છે એ જ આખા જગતને પૂર્ણ જુએ છે. એ જગતમાં રહે છે પણ એની પાંખો મુક્ત છે. એ રસ ચૂસે છે, ઊડી જાય છે, મુક્તતા પણ માણે છે. મધુરતા પણ માણે છે. પથ્થરની માખીને મીઠાશ ન હોય તો પણ સ્વતંત્રતા તો છે જ. ધારે ત્યારે ઊડી પણ શકે છે. મધની માખીને મીઠાશ છે પણ સ્વતંત્રતા નથી. એ ધારે ત્યારે ઊડી શકતી નથી. પણ જે જીવો લીંટ જેવા છે એમના માટે સંસારના સુખ પણ નથી અને સ્વતંત્રતા પણ નથી. આસક્તિમાં પડ્યા છે, ચોંટ્યા છે. એમને પૂછો કે શું સુખ છે ? તો કહે : ‘જીવન પૂરું કરીએ છીએ.' ને એમ પૂરું કરવામાં જ જીવન પૂરું થઈ જાય છે. આ ચાર કક્ષાઓ બતાવી. આ ચાર ભૂમિકાઓમાં માખીની તો માત્ર એક ઉપમા આપી છે. પણ જીવના સ્વભાવનું આમાં દર્શન સમાયેલું છે. આ જીવનું દર્શન એના સ્વભાવનું દર્શન આપણને થવું જોઈએ. આ થાય પછી તમે ગમે ત્યાં રહો, ગમે ત્યાં બેસો, ગમે તે અનુભવ કરો, પણ તમને એમ થાય કે મારામાં એક આત્મા બેઠેલો છે જે અવસ્થા વગરનો છે. જેને ઉંમર નથી, જેને ગામ નથી, કોઈ ઠેકાણું નથી. એ અનંતકાળથી ચાલતો આવ્યો છે અને એનો પ્રવાસ અંતે મોક્ષમાં પૂરો થવાનો છે. - Jain Education International પૂર્ણના પગથારે * ૧૭૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy