SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનના શિખરે ચઢેલાને પણ મોહના વંટોળિયા ઉપરથી ગબડાવી નાખે છે. કમળ જેમ સૂર્યનાં કિ૨ણો સામે હૃદય ખોલે છે તેમ સાચો જિજ્ઞાસુ સાદાઈથી નિસર્ગમાં આત્મરમણ કરતા જ્ઞાનીની આગળ પોતાનું હૃદય ખોલે છે. કહે છે, “મારામાં આવી છાનીછાની વૃત્તિઓ પડેલી છે. મારા હૃદયમાં છવાયેલ તિમિરને, પ્રભુ ! તમે દૂર કરો.” સાચો ઉપદેશ તેનો કહેવાય, જેના દિલમાં સંસારનાં બંધનોમાંથી છૂટવાની તાલાવેલી લાગી હોય છે. સંસાર એક વિકરાળ મોઢું છે. રોજ અનંત જીવો એમાં ભરખાતા જાય છે. સંસાર પ્રત્યેક પળે જીવોને ભરખતો જ જાય છે. સંસારથી ગભરાઈ જનારા તો ઘણા હોય છે, પરંતુ એટલા માત્રથી તેમને જિજ્ઞાસુ ન કહેવાય, તેમણે નીચ કામ કરેલાં હોય તેથી તે ડરે છે. સંસારની બીક હોય એ પહેલી શરત અને મોક્ષની ભૂખ હોય એ બીજી શરત. આજે તો મોક્ષ શું છે એની કોઈને કલ્પના પણ નથી. લોકો આજે સામે પગલે દોડીને વધારેમાં વધારે બંધાવા અને બાંધવા માંગે છે ! ખૂબીની વાત તો એ છે કે માણસ વૃદ્ધ થાય તો પણ એને વધારે મિલો, વધારે કારખાનાં, વધારે મકાનો, વેપાર અને પંચાત ગમે છે. અરે આત્મા, તું થોડોક તો વિચાર કર. તારે અહીં કેટલા દિવસ રહેવાનું છે ? આ બાબતનો તને વિચાર નથી. તું દિવસે દિવસે વિવિધ ઉપાધિમાં વધારે ને વધારે ફસાતો જાય છે. જે માણસ જાણીબૂઝીને વધારે ને વધારે ફસાતો જાય એને માટે મોક્ષની વાત શી કરવી ? એની આગળ તો મોક્ષની વાત ઉપહાસ જેવી જ લાગે ને ! ઘણાંને તો જ્ઞાનીઓનાં વચનો ટાઢા પહોરનાં ગપ્પાં લાગે છે. સિનેમા માટે આજે કેટલી બધી આતુરતા છે ! છાપું હજી કેમ નથી આવ્યું એનો તલસાટ કેટલો બધો હોય છે, પરંતુ પ્રભાતમાં ઊઠીને કદી જ્ઞાનીઓનાં પ્રવચનો વાંચ્યાં છે ? એના માટેનો તલસાટ કે નાદ તમારા હૃદયમાંથી કદી જાગ્યો છે ખરો ? ના, એવું તો કદી નથી થતું. ઠીક છે, કોઈક સાધુ-મહાત્મા આવી જાય, કોઈક વળી કથાવાર્તા કહેનાર મળી જાય, અને જો ફુરસદ હોય તો વળી ઘડી બેઘડી સાંભળી લઈએ છીએ. આવી ફુરસદિયા પદ્ધતિનું પરિણામ એ આવે છે કે જ્ઞાનીઓનાં વચનામૃતનું શ્રવણ કરતાં કરતાં હૃદયમાં એક જાતનો જે આદર અને આહ્લાદ Jain Education International પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૬૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy