SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ જેવા જડ પદાર્થમાં જ ચોંટી રહ્યું છે” ને, એને ધમકાવીને કાઢી મૂક્યો. પેલો માણસ નરમ સ્વભાવનો હતો. એને થયું, એમનું કહેવું સાચું છે, મારે એવી આસક્તિ રાખવી ન જોઈએ. - એ તો એનો એ ગોળ લઈને પત્ની પાસે આવ્યો ને બધી વાત કરી. પત્નીને ખૂબ આશ્ચર્ય થયું ! પૂછ્યું, “એમણે ધોળા ગોળના પૈસા લીધા હતા કે કાળા ગોળના ?” એ આપણને ગોળમાંથી આસક્તિને કાઢી નાખવાનું કહે છે, તો પછી, એ પૈસામાં શા માટે આસક્તિ રાખે છે ?” કથાકારનો આત્મા ઊંચો કે પેલાં ગ્રાહક પતિ-પત્નીનો ? માત્ર કથાકાર બનવાથી જ મહાન બની ગયાનો ગર્વ ન કરશો. કથાકારે તો જીવનની પળેપળ સામે સાવધાન રહેવાનું છે. આજે કેટલાક વક્તાઓ છાતી કાઢીને ફરે છે ને એમ માનીને ગર્વ લે છે કે એમના લીધે જ દેશનું સુકાન ચાલે છે. સાચી વાત તો એ છે કે દેશનું સુકાન આત્માને ચીંધતી ધર્મભાવનાને લીધે ચાલે છે. માનવી જો ધર્મભાવના વિનાનો હશે તો wild – જંગલી બની જશે, ને ગાંધી કે કેનેડી જેવા મહાન પુરુષોને પણ ગોળી મારશે. આત્મધર્મ જ માનવીને માનવતામાં રાખે છે, ઉન્નત બનાવે છે. આપણે સાચા માનવ છીએ ખરા ? છાતી પર હાથ મૂકીને જો સાચું બોલીશું તો, આપણે કબૂલવું પડશે કે આપણે માનવદેહ લઈને ફરીએ છીએ પરંતુ આપણામાં જન્મોજન્મની જૂની પશુતા પડેલી છે. શિયાળની લુચ્ચાઈ, ઉંદરનો લોભ અને કાગડાની દૃષ્ટિ, નાગનો ક્રોધ માણસના લોહીમાં બેઠાં છે. મનુષ્યનો આકાર માણસાઈથી સાકાર કરવાનો છે. મનુષ્યમાં મનુષ્યત્વ પ્રગટાવવું ને ટકાવવું હોય તો, આત્મજાગૃતિપૂર્ણ ધર્મભાવના પ્રગટાવો. નિર્માલ્ય હશે તે ધર્મના પ્રકાશથી નરવીર બનશે, પૈસા કે સત્તા વડે નહિ. પ્રધાનો જ્યારે ઘેર બેસે છે, ને ઇલેક્શનમાં સ્થાન નથી મળતું, ત્યારે જોશીઓ પાસે જઈને પોતાનું પ્રધાનપદ ક્યારે પાછું મળશે એ પૂછે છે. કેટલી નિર્માલ્યતા ? ધર્મ નિર્માલ્યને નરવીર બનાવે છે. ૧૫૦ જીવનમાંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy