SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ જશે ? પરિણામે, એમના મનની અંદર એક એવી રાઈ આવી ગઈ છે કે અમારી પાસે પૈસા છે, અને પૈસા હશે તો અમે સાધુઓને પણ ખરીદી શકીશું. જ્યારે એક જમાનામાં એક હવા એવી હતી કે સાધુઓ એમ સમજતા કે સાધુતાને ખરીદવા માટે સાધુતા જ જોઈએ. સાધુતા એ કંઈ દુનિયાની વસ્તુઓથી ખરીદી શકાય એવી સસ્તી વસ્તુ નથી. તમે જે કાર્ય કરવા બેસો તેમાં જ્યાં સુધી તમારું આત્મવિલોપન નહિ થાય ત્યાં સુધી તમને એ કાર્ય આનંદ નહિ આપે, ભલે પછી એ દુનિયાનો વ્યવહાર હોય, ભગવાનની ભક્તિ હોય કે બાળકને ખાવા-પીવાનું આપવાનું હોય. તમે જે કામ કરવા બેઠા હો તેમાં આત્મ-વિલોપન કરશો તો જ તે વસ્તુ તમને આનંદદાયક બનશે. બાળકને આયા પણ દૂધ પાતી હોય છે અને મા પણ દૂધ પાતી હોય છે, છતાં બંનેની દૂધ પાવાની ક્રિયામાં કેટલો બધો ફેર પડે છે ? રસોઇયો રોટલી બનાવી આપે અને ઘરની સ્ત્રી રોટલી બનાવી આપે એ બેમાં અંતર ખરું કે નહિ ? સ્ત્રીના હાથની બનાવેલી રસોઈ પીરસવામાં આવે છે ત્યારે તેની પાછળ ભાવના હોય છે, અર્પણ હોય છે, પ્રેમ હોય છે અને સેવાનો સંબંધ હોય છે. ભાડૂતી માણસ તો રોટલીઓ બનાવી બનાવીને ફેંકે જ જાય છે. તેની પાછળ કેવળ પૈસાનો સંબંધ હોય છે, લાગણીનો કોઈ પ્રવાહ હોતો નથી. માં બાળકને દૂધ પાતી હોય ત્યારે દૂધ સાથે હેત પણ પાતી હોય છે. આયાનું દૂધ પીનાર બાળકનું શરીર કદાચ પુષ્ટ થશે, પરંતુ આત્મા પુષ્ટ નહિ બને. આજે મોટાં ઘરનાં છોકરાંઓ આયાઓના હાથમાં ઊછરે છે. એ બિચારાંઓને માતસ્નેહ મળતો નથી. પરિણામે માતૃસ્નેહ, માતૃસંસ્કાર અને માતૃહાર્દ મેળવ્યા વિનાનાં બાળકો વિકૃત (Abnormal) બને છે. તેમની આ વિકૃતિ મા-બાપને ઘડપણમાં સહેવી પડે છે, કારણ કે એ છોકરાં માબાપના દુશ્મન બને છે. સંસ્કારનું સિંચન પામ્યા વિના Abnormal બનેલું બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ વધારે વિકૃત બનતું જાય છે, અને તેને લીધે આસપાસનું વાતાવરણ પણ ઝેરી બને છે. એ ઝેર ચારે બાજુ વિસ્તાર પામે છે. એટલા માટે જ કહ્યું છે કે ભાવના એ કોઈ જુદી વસ્તુ છે. ભાવનાપૂર્વક તમારા કામમાં આત્મવિસર્જન અને આત્મનિમગ્નતા ઊભી કરશો તો એ કામ દીપી ઊઠશે. માણસ જ્યારથી માત્ર દુનિયાની જ વસ્તુઓ ભેગી કરવા માંડે છે ૧૪૪ ૩ જીવન-માંગલ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy