SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ આવૃત્તિઓ બહાર પાડીને વધુમાં વધુ પૈસા કેમ લૂંટવા એના રસ્તા શોધતા હોય છે. એટલે એમના એ લખાણની પાછળ પણ તૃષ્ણાની આગ પડી હોય છે. અને તેથી જ તેમનું સાહિત્ય વાંચનારી પ્રજા અસંતોષના ભડકામાં બળી રહી હોય છે, કારણ કે લખનારાઓના દિલનો આતશ એમનાં લખાણોમાં પડ્યો હોય છે. જેમનાં ચિત્ત હર્યુંભર્યાં છે, જેમનાં મન પ્રશાંત છે, જેઓ સંતોષની અંદર મગ્ન છે, એમનાં મુખની વાણી શાંતિ સમાધાન આપનારી હોય છે. આવું સમાધાન અને શાંતિ પેલા અસંતોષની આગમાં બળનારો માનવી ક્યાંથી આપી શકે ? એટલા માટે જ પેલા ઋષિ-મુનિઓ અને ત્યાગીઓ ભલે દેહમાં રહેતા હતા છતાં તેમણે સમજણ દ્વારા મનને કેળવ્યું હતું. સાધુ હોય કે સંસારી હોય, તેણે દેહના ધર્મો, દેહની માંગ તો પોષવી જ પડશે, પરંતુ એ માટેનો યોગ્ય વિચાર કરીને તેના ઉપર મર્યાદા મૂકવી એનું નામ “વિવેક’, અને મર્યાદા ન મૂકવી એનું નામ “અવિવેક'. જે મળે તેમાં સંતોષ માનનારો માણસ ખરેખર વિવેકવાન છે. શ્રીમંતોનું એ કામ છે કે જે લોકો વિરક્ત હોય તેમની ખબર રાખવી. વિરક્ત જો માગવા જાય તો એ ભિખારી બની જાય. તમારે આટલા રૂપિયા ભરવા પડશે એમ સમજવું. સાધુને ફંડફાળાની શી જરૂર છે ? ઇચ્છા એવી હોય કે કોઈ ઇચ્છા જ ન જન્મે.’ ‘નહિ જોઈએ' એવી દશા અંતરમાંથી ઉદ્દભવવી જોઈએ. એ દશા આવે ત્યારે એની મસ્તીનો આનંદ કંઈ જુદો જ હોય ! પહેલાં ત્યાગીઓનું કામ એ હતું કે તે સંસાર તરફ ઉપેક્ષા સેવતા અને સંસારના રોગીઓ તેમની ખબર રાખતા. આ રીતે બંનેનો સમન્વયાત્મક ધર્મ જળવાતો. આજે આ બંને પોતપોતાના જીવનનો પંથ ચૂકી ગયા છે. પરિણામ એ આવી ગયું છે કે, સાધુઓ ઘે૨-ઘે૨ માગતા ફરે છે અને તેને લીધે સાધુતાનું દર્શન જે પહેલાં માનવી માટે ગૌરવની ગાથા સમું હતું તે આજે ભયરૂપ બન્યું છે. આજે સંસારી જન એમ માનતો થયો છે કે સાધુને તો થોડા પૈસાથી ખરીદી શકાશે. એટલે મોટા પૈસાદારો માને છે કે આખરે મહારાજ જવાના ક્યાં છે ! છેવટે તો આપણા બારણે આંટો મારવા આવવાના જ ! પાંચ-દશ હજાર રૂપિયા જોઈતા હશે તો ટીપ લઈને આપણી જ પાસે આવશે ને ! બીજે ક્યાં Jain Education International પૂર્ણિમા પાછી ઊગી ! : ૧૪૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy