SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારથી અંતરની દુનિયા ખોવા માંડે છે. અંતરની દુનિયાને સજાવવી હશે તો બહારની વસ્તુઓને ઓછી કર્યા વિના આરો આવવાનો નથી. આપણે બહારની વસ્તુઓનો સંગ્રહ એટલો બધો વધાર્યો છે કે, આપણા અંતરનું દીવાનખાનું આજે સાવ ખાલી થઈ ગયું છે. આજે માનવીનું ધ્યાન બહારની વસ્તુઓના સંગ્રહ ઉપર કેન્દ્રિત થયું છે અને અંતરની દુનિયાનું સાવ દેવાળું નીકળ્યું છે, માનવીના જીવનમાં કોઈ આદર્શ નથી, કોઈ ભાવનામય સ્વપ્ન નથી. અને ત્યારે માનવી બહારની દુનિયા ભેગી કર્યા વિના કરે પણ શું ? એટલા માટે જ માણસના જીવનમાં શ્રેયાત્મક કોઈક સ્વપ્ન; ધ્યેયાત્મક એક વિચાર તો હોવો જોઈએ, જેના આધારે માનવી જીવનમાં ધીમે ધીમે આગળ વધી શકે. આપણા જીવનમાં આપણને થાક તો ત્યારે જ લાગે છે કે જ્યારે આપણા મનમાં કોઈક કામ પાછળનો આદર્શ નથી હોતો. જેના જીવનમાં કોઈ ધ્યેય નથી હોતું તેનું જીવન વૈતરા જેવું બની જાય છે. અહીં કોઈક ફૂટપાથનો ભિખારી છે, તો કોઈક વળી મંદિરનો, મહેલનો ભિખારી છે. આખરે મન તો બંનેનાં સરખાં છે. કોઈકને સો જોઈએ છે, કોઈકને હજાર જોઈએ છે તો કોઈકને લાખ કે કરોડ જોઈએ છે. ભિખારીઓની કક્ષામાં કંઈ ફેર નથી. મન તો એ જ છે. હા, દેખાવમાં થોડોક ફેર છે ખરો. જ્યાં સુધી મનની ભૂખ મરી નથી, જે છે તેમાં સંતોષ પ્રગટ્યો નથી; ત્યાં સુધી દિલ ભિક્ષુક જ છે. અને આ ભિખારીવૃત્તિ આપણને ધીમે ધીમે હીન બનાવી દેશે. જેમ એક સુંદર પુષ્પ પર ભમરો આવીને તેમાંથી રસ ચૂસી લે છે, છતાં પુષ્પને દુઃખ થતું નથી કે એને ચીમળાવી નાખતો નથી; અને છતાં પોતાના આત્માને સંતૃપ્ત કરે છે એ જ રીતે આ દુનિયાની અંદર સાધુ કોઈને ત્યાં લેવા માટે જાય ત્યારે પેલાનું રસોડું ખાલી કરીને ચાલ્યો નથી આવતો, પણ એને ત્યાં બનાવેલી વસ્તુઓમાંથી થોડુંક થોડુંક લે છે, જેથી આપનારને ત્યાં ઓછું થાય નહિ અને પોતાનું કામ ચાલી રહે. આમ બે-ચાર ઘેરથી મેળવીને પોતાના આત્માને પરિતૃપ્ત કરે છે. અને આમ ફરવા જતાંય ન મળે તો સાધુને દુઃખ નહિ થાય. મળી જાય તો સંયમ પળાય છે અને ન પળાય તો તપોવૃદ્ધિ થાય છે. મળી જાય તોપણ મજા છે, ન મળે તોપણ મજા છે. ઇધર ભી વાહ વાહ, ઉધર ભી વાહ વાહ. પૂર્ણિમા પાછી ઊગી ! = ૧૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy