SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ધારણી કહે, “શું છે બેટા !” તો કહે, “મને ભગવાનની વાણી ગમી.” “તો તો, બેટા આપણું ભાગ્ય ખૂલી ગયું.” “પણ, મા ! એ વાણી મારા હૃદયમાં ઊતરી ગઈ.” “તો તો આપણું અહોભાગ્ય.” “પણ, એ વાણી હવે મારે અમલમાં મૂકવાની છે.” એટલે ?” તો કહે, “મારે ત્યાગી થવાનું છે.” અરે હોય ! ત્યાગી તો બીજા થાય. તારે નહિ. તું તો મારો એકનો એક દીકરો છે. તું જો ત્યાગ કરે તો મારું કોણ ? તને તો મારે સુંદર કન્યા પરણાવવી છે. તારી એ પત્નીને નીરખી-નીરખીને સ્વર્ગ સમું સુખ પામવું છે, માટે બેટા, આપણાથી સાધુ ન થવાય.” જોયું આ ? માબાપ ધર્મમાં જોડે ખરાં, પણ ત્યાગની વાત આવે ત્યાં કહે, “એ તારું કામ નહિ. એમાં તને સમજ ન પડે. એ તો અમારે સાંભળવા માટે છે.” પ્રવચન-શ્રવણ ચિત્તશુદ્ધિ માટે કરે છે. શ્રવણથી હૃદય ધોવાઈને ઉજ્વળ થવું જોઈએ. મેઘકુમારની જેમ જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. O પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy