SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિથી બેસીને વિચાર કરવાનો છે કે આપણું જીવન કેવી રીતે વીતી રહ્યું છે. આજે લોકોનું જીવન પણ શાન્તિથી વીતતું નથી અને મૃત્યુ પણ શાન્તિથી થતું નથી. જીવન જો બગડી ગયું તો મરણ પણ બગડી જશે. - મરણ વખતે પણ ઘણાનું ધ્યાન એવી વસ્તુઓ પર હોય છે કે સુખ કે શાન્તિથી વિદાય પણ લઈ શકતા નથી. મરણ આવે તે પહેલાં કામની ભાવના છુટી જાય, મરણ આવે તે પહેલાં કનકનો મોહ છૂટી જાય, ને તમે છોકરાંઓને કહો કે હવે તમે બધું સંભાળી લો. હવે મારું નામ પૈસાની બાબતમાં ન લો. પણ ધ્યાન રાખજો કે છોકરાં વ્યસની, લોભી કે સ્વાર્થી ન હોય. આમ તમે એવી રીતની વ્યવસ્થા ગોઠવો કે મરણ વખતે એમાં તમારો જીવ અટવાઈ ન જાય. હવે ત્રીજો પ્રશ્ન પુછાયો, “રોજ અમારે સાંભળવું શું ?” જવાબ મળ્યો : “ગુરુના મુખકમલથી ઝરતાં સુવાક્યો નિત્ય સાંભળો.” સ્વયંપ્રકાશિત એવા વીતરાગના માર્ગના જે પ્રવાસી છે તે તમને જે વાત કહેશે તે તમારા આત્માના ઉદ્ધાર માટેની જ હશે. ગુરુઓનાં વાક્યો તો ત્યાગના માર્ગે લઈ જનારાં હશે. ઘણા એવા હોય છે કે ત્યાગની વાત કરે, ધર્મની વાત કરે, પણ જ્યાં ઘેર આવે ત્યારે બધું ભૂલી કહે, “આ તારું, આ મારું.” શ્રેણિક મહારાજાની એક વાત આવે છે. ભગવાન મહાવીર પધારેલા છે. તેમને સાંભળવાનું રાણી ચેલણાને મન થઈ આવે છે, એટલે ધારણી રાણીને કહે છે, “ચાલો, આપણે ભગવાનનું વ્યાખ્યાન સાંભળવા જઈએ.” ત્યારે મેઘકુમાર કહે છે, “હું આવું ?” ત્યારે રાણી કહે, “હા, તારે તો આવવું જ જોઈએ.” અને મેઘકુમાર આવ્યા. વાણી સાંભળી અને હૃદયમાં એવી ઊંડી ઊતરી ગઈ કે જાણે કોરી ધરતી પર મેઘ વરસ્યો. પછી તો બીજા રોપાયું અને ઊગી નીકળ્યું. પણ જે બાળજીવો હોય છે તેમને બહુ અસર કરી જાય છે. જુઓ ને, વિદ્યાર્થીઓ કેટલા બધા ભાવનાશાળી હોય છે ! એમને તમે એક વાત બરાબર સમજાવી દો કે મનમાં ઉતારો તો તેઓ “યા હોમ કરીને ઝંપલાવી દે છે. જ્યારે પેલા તો ગણતરી જ કર્યા કરે ને ગણીગણીને એવું તારવે કે, “ખોદે ડુંગર ને કાઢે ઉંદર' જેવો ઘાટ થાય. આમ પેલા મેઘકુમારે તો સાંભળ્યું. ને સંસાર પરથી જીવ ઊઠી ગયો. ઘેર આવીને માને કહ્યું, “મા.” ૧૩૪ * જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy