SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ તેમજ સૌમ્યતાની અસર આપણા ઘરના માણસો ઉપર ધીરે ધીરે એવી સરસ થવી જોઈએ કે જેને લીધે એક નવું જ વાતાવરણ ઊભું થાય અને લોકો પ્રેરણા લે કે, ખરેખર આ એક સાચા પ્રકા૨નો ધર્મી આત્મા છે.' પણ આ ત્યારે જ બની શકે કે આપણા જીવનમાં સૌમ્યતા આવે. પણ જો પૂજા કરીને ઘેર જનારો માનવી ઘરમાં જઈને ધમાધમ જ કરી મૂકે, ઉપવાસ કરેલો હોય અને જેવો પારણું ક૨વા બેસે અને કહે, “શું મગ નથી કર્યા ? તમને તો ભાન જ ક્યાં છે ? અમે ઉપવાસ કરી મરી જઈએ છીએ તોયે તમને પારણાનો ખ્યાલ જ નથી રહેતો !'' આવા માણસના ઉપવાસ શાંતિ કેમ આપે ? એમને ઉપવાસ ન કરવા હોય તો કોઈ પરાણે કરાવે છે ? ઉપવાસ કંઈ મરવા માટે નથી કરવાના, અમર બનવા માટે કરવાના છે. ખરી વાત તો એ છે કે, જીવને વિચાર આવતો નથી. ક્રોધમાં આવી જાય છે ત્યારે એ એમ માનતો હોય છે કે જાણે મેં ઉપવાસ કર્યો તે આ બધાના ઉદ્ધાર માટે કર્યો છે. સાચી વાત તો એ છે કે, ઉપવાસ એ અનાહારી પદ પ્રાપ્ત કરવા માટે છે. ખાવું એ તો દેહનો સ્વભાવ છે. ન ખાવું એ શુદ્ધ આત્માનો સ્વભાવ છે. ઉપવાસ એટલે અભયદાનમાં વૃદ્ધિ શાકદાણા બીજી અનેક એકેન્દ્રિય વનસ્પતિ જીવોને પણ અભયદાન આપે છે. પરંતુ એવો સ્વભાવ આવે ક્યારે ? મગ કદાચ ન થયા હોય તો એમ કહેવું જોઈએ કે, હવે મગ ક૨વાની જરૂર નથી. હવે તો આ ખાવાની શરૂઆત કરી છે, એટલે પાણી હોય તો ચાલે, ઉકાળો હોય તો ચાલે. જે હોય તે ચાલે. તમે ચિંતા શા માટે કરો છો ? કોઈ ચિંતા કરતું હોય તો પણ આપણે સમતા આપવી જોઈએ. પેલાને એમ થાય કે હું ખાઉં છું તોય મારે ખાખરા વિના નથી ચાલતું અને માણસે ઉપવાસ કર્યો તોય કહે છે કે, મારે કંઈ નથી જોઈતું. આમ તપસ્વીને જોઈને જે તપ નથી કરતો એને ભાવ થાય. - પરંતુ આ વાત હૃદયમાં સ્થાપવા માટે મનને વિશુદ્ધ કરવું પડે છે. વિશુદ્ધિ વિના બધું નકામું. જેટલી જેટલી વસ્તુઓ ધોવાય છે તેટલી જ શુદ્ધ અને સુંદર થાય છે. કપડું પણ ધોવું પડે છે મકાન પણ ધોવું પડે છે, વસ્તુઓ પણ ધોવી પડે છે અને એ ધોવાય છે ત્યારે જ મેલ દૂર થાય છે. તો પછી શું આપણા મનને ધોવાનું જ નહિ ? આપણે બધાયને Jain Education International પૂર્ણિમા પાછી ઊગી ! × ૧૩૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy