SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ એવી વસ્તુ છે કે એને કેળવવું પડે છે. જેમ રોટલી બનાવવી હોય તો કણકને કેળવવી પડે, ઘડો બનાવવો હોય તો માટીને કેળવવી પડે, ખમીસ બનાવવું હોય તો કપડાને કાપકૂપને કેળવવું પડે, તે જ રીતે દુનિયામાં કેળવ્યા વગરની કોઈ પણ વસ્તુ કામ લાગતી નથી. તમારા માનસને પણ તમારે કેળવવાનું છે. એ કેળવણી માટે શિક્ષણ એ અનિવાર્ય વસ્તુ છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે, કેળવાયેલ માણસની ઓળખ શી ? બિનકેળવાયેલ માણસને દશ શબ્દો કહેવા પડે છે, જ્યારે કેળવાયેલ માણસને માટે એક શબ્દ પણ બસ થઈ જાય છે. “A word to a Wise, and a rod to a Fool.' ડાહ્યા માણસને એક શબ્દની જરૂર છે. એ તરત સમજી જશે. કહેવત છે ને કે તેજીને ટકોરો અને મૂરખને ડફણાં ! આ રીતે તમારા માનસને જો તમે કેળવતા જશો તો તમારું મગજ અને તમારું મન સારું થઈ જશે. જેમ કેમેરાની ચાંપ દાબતાંવેંત જ અંદર રહેલી નેગેટિવમાં સામેનું દશ્ય ઝડપાઈ જાય છે તેમ, તમારું માનસ પણ એવું કાર્યદક્ષ બની જશે કે જે વાત વડીલો કે ગુરુજનો કહેશે એ તુરત જ તમારા માનસપટ પર અંકાઈ જશે. તમારું મન કેળવાયેલું હશે તો તમારી પાસે આવતી સુંદર વાતો તમારા હૈયાની દાબડીમાં સરસ રીતે સંઘરાઈ જશે. તમારી પાસે આ ત્રણ વાતો મૂકી છે : સારી સોબત, અભય અને મનની કેળવણી. મિત્રોની સોબત સારી હશે તો તમે ફૂલની જેમ મહેક્યા કરશો. અભય હશે તો તમારા દિલની અંદર પ્રકાશ છવાયેલો રહેશે. મન કેળવાયેલું હશે તો તમારા આત્માનું સૌંદર્ય વિકાસ પામતું જશે. જે રીતે ખેતી કરતા ખેડૂત ખેતરમાં એક દાણો વાવે છે, તો ખેતર તેના વળતરના રૂપમાં અસંખ્ય દાણા આપે છે તે રીતે તમારા જીવન-ખેતરમાં વિચાર-રૂપ એક દાણો આજે અહીં વાવેલો છે. મિત્રો ! તેના વળતરના રૂપમાં આચારના ઘણા દાણા પાછા વાળશો એવી શુભેચ્છા. ૧૨૮ * જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy