SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ તમે જો સંકલ્પ કરશો અને એ સંકલ્પ પાર પાડવા માટે સહન કરશો તો જ આવું જીવન જીવી શકશો. સાચા યુવાનનું રૂપ વાળમાં નહિ, પણ એના પ્રત્યેક અણુએ અણુમાં વિલસતું હોય છે. એનો સંયમ, એનો સદાચાર, એની સ્વચ્છતા, એની સ્વસ્થતા એ જ એના સૌંદર્યને દીપાવનારાં અને એની સુવાસને મહેકાવનારાં તત્ત્વો હોય છે. આજ તો છોકરાઓ પણ રૂપાળા દેખાવા માટે પાઉડર લગાવે છે, ક્રીમસ્નો લગાડે છે. આ બધું એટલા માટે જ કરવું પડે છે કે અંદરનું (આત્માનું) સૌંદર્ય જાણ્યું નથી. અંદરનું તત્ત્વ ખૂટી જાય છે ત્યારે જ બહારની ટાપટીપ શરૂ થાય છે. હું તો તમને કહું છું કે બહારના એ લપેડાંઓ (કૉમેટિકસ)નો મોહ છોડીને તમે કંઈક એવું સર્જન કરો, જીવન તને અને મનથી એવું સ્વસ્થ અને સુદઢ બનાવો કે માનવજીવન એક ભેટ બની જાય. તમારે આગિયા નહિ, તારા બનવાનું છે. અંધારી રાતે ચાલ્યા જતા પથિકને તમારે તો માર્ગદર્શન અને આશાભર્યું આશ્વાસન આપવાનું છે. ખરી પડવાનો વખત આવે ત્યારે પણ તેજલિસોટો મૂકીને તમારે જવાનું છે. યુવાનીમાં રખડ્યા કરશો તો આખી જિંદગી રખડવું પડશે. માટે તમારી જુવાનીને સંભાળી લો. એકાગ્ર બની જીવનની કેળવણી મેળવી લો. પ્રગતિપંથનાં જે ત્રણ પગથિયાં બતાવ્યાં છે તે આ છે : Dream, Hope and Admiration. મહાન બનવાની આ ચાવી છે : પ્રેરણા આપતું મધુરું સ્વપ્ન હોય, ઉજ્વળ આશા હોય અને દિલમાં અન્યની પ્રગતિ પરત્વેની ખેલદિલીભરી પ્રશંસા હોય તો તમારા જીવનની પ્રગતિને કોઈ રૂંધી શકશે નહિ. હવે આપણે બીજી વાત પર આવીએ. જીવનમાં તમે સર્વથા અભય રહો. કોઈથી કદી ડરશો નહિ. જીવનમાં એક માત્ર પાપ સિવાય બીજા કશાથી ડરશો નહિ. તમારી વાણી, તમારું વર્તન અગર તમારા વિચારથી જો પાપ થઈ જાય તો જરૂર ડરજો. એવે પ્રસંગે અંદરના ભગવાન પાસે દોડી જઈને પાપ સામે રક્ષણ માંગજો. જેના હૃદયમાં અભયનું સામ્રાજ્ય સ્થપાયેલું હોય છે અને દુનિયામાં કોઈની બીક નથી. એવાઓ જ દુનિયાને પલટો આપી શકે છે. દુનિયાને નવા રંગે રંગી શકે છે. આમ પહેલી વાત આપણે સત્સંગની (સારી સોબતની) વિચારી, બીજી વાત અભયની તપાસી, હવે ત્રીજી વાત વિચારવાની છે. આ વાત છે મનની, કેળવણીની. તમે દરેક વાત કરજો, પણ સાથે સાથે મનને કેળવતા જજો. મન એક પૂર્ણિમા પાછી ઊગી ! છેક ૧૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy