SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ કરુણાસાગર ભગવાને કહ્યું, “એ ખરડાયેલા જીવનને પ્રાયશ્ચિત્તથી ધોવાનો અવકાશ છે. હે માળી ! તું હજુ પણ સુધરી શકે છે. તું તારા મનને તૈયાર કર, તારા પાપને હઠાવી નાંખીશ, તો શ્રેય થશે જ. તારું અંદરનું તત્ત્વ તો સારામાં સારું છે. ઉપર કાટ ચડ્યો છે.' ત્યારે પેલાએ કહ્યું, “ભગવાન ! મારો ઉદ્ધાર કરવા માટે મને ચારિત્ર્ય આપો.' ભગવાને એને દીક્ષા આપી. લોકો વાતો કરે છે કે, આવા ખૂનીને પણ ભગવાને દીક્ષા દીધી. પણ ભગવાન તો જાણે છે કે વધારે ચડેલો મેલ વધારે ધોવાવાનો છે. એણે પ્રતિજ્ઞા કરી કે ભગવાન કહે એમ મારે ક૨વું. પછી ભગવાને કહ્યું, ગામમાં ચાર દરવાજા છે. એ દરેક દરવાજે જઈ દોઢ દોઢ મહિના સુધી તું કાયોત્સર્ગમાં ઊભો રહે. જે જાતના ઉપસર્ગો આવે તે દરેક ઉપસર્ગોને તું શાંતિથી સહન કર ! આ અર્જુનમાળી સાધુ થયો. પહેલાં ગામના પૂર્વ દરવાજે જઈને ઊભો રહ્યો. એ સાધુના વેશમાં હતો. ત્યાં એક ભરવાડ આવ્યો. ભરવાડને થયું કે આ એ જ સાધુ છે જેણે મારા છોકરાને મારી નાખ્યો હતો, અને આજે સાધુના વેશમાં એ ઊભો છે. એની પાસે ડાંગ હતી એ એના માથામાં મારી. લોહીની ધારા વહેવા લાગી. અર્જુનમાળી વિચાર કરે છે કે તે દિવસે મેં તો એના છોકરાને માર્યો હતો, જ્યારે એણે તો મને ડાંગ મારી છે, તે જરા લોહી વહે છે. ક્યાં મારી નાખ્યો છે ? એ મનમાં વિચાર કરે છે : આ ભરવાડનું ભલું થજો કે મારાં કર્મો ખપાવવા મને સહાયતા આપી રહ્યો છે. એટલામાં એક બીજો ભીલ આવ્યો. એનો ભત્રીજો આના હાથે મરી ગયો હતો. કાંટાની વાડમાંથી એણે કાંટાનું ઝાંખરું લીધું અને એના પર ઝીંકવા લાગ્યો. અર્જુનના શરીરમાં કાંટા ભરાઈ ગયા. વેદના અસહ્ય છે છતાં પોતાની જાતને એ પૂછે છે કે, તેં બીજાને માર્યા હશે એ વખતે એમને કેટલું દુ:ખ થયું હશે ? તને કાંટાની વેદના ખટકે છે, પણ બીજાના તો તેં પ્રાણ લીધા હતા; એ વખતે એનું શું થયું હશે ? દોઢ મહિનો અહીં પૂરો કરી એ પશ્ચિમમાં ગયો. પછી ઉત્તરમાં અને દક્ષિણમાં ગયો. આમ છ મહિના સુધી એણે માર સહન કર્યો. પથ્થરો ખાધા. લોહીની ધારાઓ વહી. આખા શરીરમાં રંગ કે રૂપ દેખાય નહિ એવા પ્રકારના ઘા પડ્યા પણ એણે નક્કી કર્યું કે મારા પર કોઈ સહાનુભૂતિ ન બતાવે. Jain Education International ૧૨૦ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy