SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ કરી જાય છે. કેટલીક પળો એવી હોય છે કે ચૂપ રહેવું જ યોગ્ય ગણાય અને ચૂપ વાણી કરતાં વધારે બોલે છે ! અર્જુન જેમ જેમ એની નજીક આવતો ગયો તેમ તેમ એ ઓગળતો ગયો. અને જેવો એ એની નજીક આવ્યો તેવો જ તેની અંદર જે યક્ષ હતો એ ભાગી ગયો. અંધારું અજવાળા આગળ કેટલી ઘડી ટકી શકે ? શાંત માળી એની પાસે આવીને ઊભો રહ્યો. હવે એનું શરીર થાક અને શ્રમથી ભીનું ભીનું થઈ ગયું. પેલા ઝનૂનને લીધે એ આમ કરતો હતો. જેમ દારૂડિયો, દારૂના કેફને લીધે ધમાધમ કરે, અને કેફ ઊતરી જાય એટલે મડદા જેવો થઈ જાય છે. સુદર્શને એને કહ્યું, “તું ચાલ મારી સાથે. હું જેમની પાસે જાઉં છું એમની પાસે તારો મેલ અને ગ્લાનિ નીકળી જશે.” આમ ભગવાન મહાવીર પાસે માળીને એ લઈ જાય છે ત્યાં દૂરથી મીઠી ઘંટડી જેવો અવાજ સંભળાય છે. વાણી તો ઘણી સાંભળી પણ ભગવાનની વાણી તો કોઈ અદ્ભુત છે ! અર્જુનમાળી પૂછે છે, “આ શું સંભળાય છે ?” સુદર્શન કહે, “હજુ તો દૂરથી સંભળાય છે. નજીક ચાલ, એમને જો અને તને સમજાશે કે અહિંસાનો આત્મસાક્ષાત્કાર કેવો હોય છે.” બંને ભગવાનની નિકટ આવ્યા. પરંતુ ભગવાન મહાવીર તો આવા ક્રૂર પ્રત્યે પણ કરુણા રાખે છે. એ તો ભગવાન છે. અને ભગવાન એનું નામ કે જે ખરાબ કામો કરનાર પ્રત્યે પણ સમભાવ અને કરુણા વરસાવે. ભગવાન તો જાણે છે કે એ શું કરીને આવ્યો છે. પણ હવે શું ? ભગવાન કેવળજ્ઞાનથી જાણતા હતા કે આ ખૂની છે, ઘણાં ખૂન કરી આવ્યો. છે. અંતર્યામી બધું જાણે છે અને છતાં પણ એમની આંખમાંથી એના પર કરુણાની અમીવર્ષા થઈ રહી છે. ભગવાને કરુણાની એવી ધારાઓ વરસાવી કે એનો સ્પર્શ થતાં જ એને પોતાનાં હિંસક કૃત્યોનું ભાન થયું : હું કેવો પાપી છું ! હૃદય ભરાઈ આવવાથી એ હૈયાફાટ રૂદન કરવા લાગ્યો, “ક્યાં આ દેવી મૂર્તિ અને ક્યાં મારું અધમતાભર્યું જીવન ! મેં કેટલાય લોકોને માર્યા, કેટલાંયનાં ખૂન કરી નાખ્યાં. એમણે મારું શું બગાડ્યું હતું કે મેં એમને મારી નાખ્યાં ?” માળી ભગવાનનાં ચરણમાં માથું ઝુકાવીને કહે છે, “હે ભગવાન, મારું શું થશે ? મેં આટઆટલાં ખૂન કર્યા : મેં મારા તનને, મનને અને વિચારને લોહીથી ખરડી નાખ્યાં છે.' પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy