SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ પાણીમાં ગમે એટલો અંગારો પડે તો પણ અંગારો ઠરશે પણ પાણી નહિ બળે, એમ જેની પાસે કરુણા અને દયાનો સાગર છે એને દુનિયાના દુષ્ટોનો ભય નથી. ભગવાન તો ગામને પાદરે નિર્ભયપણે આવીને ઊતર્યા. વંદના કરવા લોકો પાદરે આવવા નીકળ્યા, ત્યાં તો આજુબાજુ શોરબકોર થવા લાગ્યો. સંદેશવાહક શ્રેણિક મહારાજાને સમાચાર આપ્યા, “અર્જુનમાળી ગામને પાદરે આંટા મારે છે. હજુ સુધી એણે સાત માણસ માર્યા નથી એટલે એ ગર્જના કરી રહ્યો છે.” પણ શ્રેણિકે પૂછ્યું, “પેલા નગરશેઠનો પુત્ર તો ચાલ્યો ગયો. એની પાસે તો તલવાર, ભાલો કે એવું કોઈ સાધન પણ નથી. એનું શું થશે ? શ્રેણિકની આંખમાં ઝળઝળિયાં આવ્યાં. કિલ્લાની બારીમાંથી જોવા લાગ્યા કે એ ક્યાં જાય છે.” પેલો તો ધૂનમાં ને ધૂનમાં ચાલ્યો જાય છે. જેના હૃદયની અંદર ભગવાન છે, જેની આંખોમાં ભગવાનની છબી છે, જેના મોઢામાં ભગવાનનું નામ છે, એને ભય શાનો ? ભય ક્યાં છે ? વિચારમાં. વિચારમાંથી હિંસા અને વેર કાઢી નાખો તો અભય જ છે. ભય આવે છે એના પહેલાં તો માણસ પોતાના મનમાં હિંસાથી, અમૈત્રીથી ભય ઊભો કરે છે. ભય એટલો ભયંકર નથી; જેટલો માણસનો ભયવાળો વિચાર. સુદર્શન ચાલ્યો જતો હોય છે ત્યાં દૂરથી પેલો અર્જુનમાળી આવે છે. એની મોટી મોટી આંખો લાલ અંગારા જેવી છે; મોટું પડછંદ શરીર છે. એનાં પગલાં સિંહ જેવાં મોટાં છે, એનું રૂદ્ર સ્વરૂપ જોઈને જ માણસ અડધો મરી જાય છે. ' લોહીથી ખરડાયેલાં કપડાંને ધોવા માટે સાબુ અને પાણી જોઈએ. હિંસાને ખાળવી હોય તો અહિંસાથી ખાળી શકાય. ઘરમાં કોઈ તપેલું હોય તો તમે તપો નહિ, પણ ઠંડા થાઓ. એ અગ્નિ હોય તો તમે પાણી થાઓ. સુદર્શન તો કાયોત્સર્ગ કરી ઊભો રહ્યો. એના મનમાંથી શુભેચ્છાનાં આંદોલનો નીકળવા લાગ્યાં, “એનું ભલું થાઓ, એનો ક્રોધ શમી જાઓ, એની દાનવતા માનવતામાં ફેરવાઈ જાઓ, મૈત્રીની મધુરતા પ્રસરી જાઓ.” અર્જુનને થયું કે આ શું થાય છે ! હું ભલભલા માણસને ઊંચકીને ફેંકી દઉં છું, પણ આ નાનકડો માનવી કેવો વહાલો છે ! એના મુખ પર કેવી શાંતિ છે ! આંખો કેવી સુરમ્ય છે ! માનવીનું મૌન એ કોઈક વાર ઉપદેશ આપવા કરતાં પણ વધારે કામ ૧૧૮ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy