SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે ભગવાન પાસે જઈએ અને આપણી જાતને ભૂલીએ નહિ તો, ભગવાન પાસે ગયા કે ન ગયા બરાબર છે. ભગવાન પાસે જાઓ ત્યારે તમે તમારી જાતને ભૂલી જાઓ કે હું કોણ છું. આવી આત્મવિસ્મૃતિ એટલે જ ભગવાનની ભક્તિ. આપણી જાત જો યાદ આવતી હોય તો હું અને તું બે જુદા છીએ; અને ત્યાં મજા નથી. સાકર દૂધમાં ઓગળ્યા સિવાય કદી મીઠાશ નહિ આપી શકે. જો ગાંગડો પડ્યો હશે તો ગાંગડો અને દૂધ જુદાં રહેશે, એવી રીતે ભગવાનમાં તમે ઓગળો નહિ, એક બનો નહિ, ત્યાં સુધી એકતાની મજા તમે માણી શકશો નહિ. ભક્તિ એટલે બીજું કાંઈ જ નહિ. ત્યાં તમે બધાય ભાવ ભૂલી જાઓ અને “હું ભગવાનરૂપ એક તાદાભ્ય બની ગયો અને ભગવાન અને હું જુદા જ નહિ' એવો ભાવ કેળવવો જોઈએ. એટલા માટે એક કવિએ કહ્યું છે કે, “હે મહાપૂજ્ય, તારી સાથે ઐક્ય સાધવામાં આભૂષણો અંતરાયરૂપ થાય છે. મારે આ આભૂષણ નથી જોઈતાં, કારણ કે ત્યાં મને ખ્યાલ આવે છે કે હું મોટો છું, મારામાં કંઈક મહત્તા છે, લોકોમાં મારું કંઈક સ્થાન છે.” જેમ સાકર દૂધમાં ભળી જાય છે તેમ માણસ જ્યારે ભગવાનમાં એકરૂપ થાય છે ત્યારે એની મીઠાશ અને મધુરતાની તોલે બીજું કાંઈ ન આવે. આમ માળી અને માળણ એવી ભક્તિ કરે છે કે જાણે પુષ્પ અને પરાગની જોડી. એમની પ્રીત અને એમનાં નૃત્ય લોકો જ્યારે જુએ ત્યારે કહે કે ખરેખર, આ બંનેનાં જીવનની કલા એટલે સુંદર નૃત્ય અને ભાવની કળા ! ગામના દુર્જનો એમને જોવા જાય ત્યારે એમના હૃદયમાં સારો ભાવ જાગવાને બદલે દુર્ભાવ જાગે. તેમને થાય : આવું સુંદર નૃત્ય, સુંદર રૂપ, આવી સુંદર માળા ગૂંથે એવી આ નારી સાથે આવો આ મામૂલી માળી શોભે ? એની પાસે નથી બંગલો, નથી પૈસા, નથી કાંઈ પણ. જે શ્રીમંતોને પૈસા સિવાય બીજું કાંઈ સૂઝે નહિ અને પોતાના દીકરાનું શું થાય છે એ જુએ નહિ એવા શ્રીમંતોના દીકરા વિચાર કરે છે કે આ માળણને આપણે કોઈ પણ હિસાબે હાથ કરવી જોઈએ. ને પછી તો એ માટેનાં કાવતરાં રચાવા લાગ્યાં. પરિણામ એ આવ્યું કે એક દિવસ એ બંને નૃત્ય કરવા માટે એક મંદિરમાં ગયાં ત્યારે આ લોકો પણ પાછળ પાછળ ગયા ને પેલો માળી મૃદંગ વગાડતો હતો ત્યાં એને પાછળથી પકડીને થાંભલા સાથે બાંધી દીધો અને એના દેખતાં માળણની સાથે કુચેષ્ટા કરવા લાગ્યા. આ બધું જોઈ માળીનો જીવ બળી ૧૧૬ * જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy