SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ માટેનું ઉત્તમ નિમિત્ત, અમૃતક્રિયા છે. ક્રિયાઓના પાંચ ભાગ પાડવામાં આવ્યા છે. આમાં સૌથી શ્રેષ્ઠ ક્રિયા અમૃતક્રિયા છે. એ ક્રિયા એટલા માટે શ્રેષ્ઠ છે કે, આત્મા તેની સાથે એકાકાર બની જાય છે ને એથી માનવી જડમાંથી મુક્ત બને છે. આ રીતે સમજીને જે ક્રિયા કરે છે એના જીવનમાં પરિવર્તન આવતું જાય છે, રાગદ્વેષ અચૂકપણે પાતળા થઈ જાય છે. વસ્તુ જેમ જેમ ઘસાતી જાય તેમ તેમ પાતળી થતી જાય છે, તે જ રીતે રાગદ્વેષ પણ પાતળા પડે છે. આટઆટલાં અનુષ્ઠાનો કરવા છતાં, આટઆટલાં સંતસાધુઓ પાસે જવા છતાં અને આટઆટલો ઉપદેશ શ્રવણ કરવા છતાં આપણા રાગદ્વેષ જો પાતળા ન થાય તો, શાંતિથી વિચારવું જોઈએ કે તેનું કારણ શું છે ? આવા પ્રકારની ઝંખનાવાળો આત્મા એકલી જડ ક્રિયા ન કરે, ક્રિયામાં શોધ હોય. આપણે આ વિચારવાનું છે. વિચાર કરીશું તો જ આપણે આપણા આત્માના ઉત્કર્ષથી ધર્મ-સાધના કરી શકીશું. એ ભાવના નહિ હોય તો ન તો આપણા આત્માનો ઉત્કર્ષ થશે; ન તો ધર્મની આરાધના થશે. જે લોકો પોતાનો ઉત્કર્ષ કરતા જાય છે તે લોકો જ દુનિયામાં ધર્મની સ્થાપના કરવા સમર્થ બને છે. પોતાનો ઉત્કર્ષ કર્યા વિના કોઈ પણ માણસ બીજાના વિકાસનો નિમિત્તા બની શકતો નથી. “મારે મુક્ત બનવું છે, બંધનોમાંથી બહાર આવવું છે, ' આવા પ્રકાશનો અભિલાષ એક શિષ્યના હૃદયમાં જાગ્યો. એટલે એણે આવીને પહેલો જ પ્રશ્ન એ કર્યો કે, “ગુરુદેવ, મારો એક પ્રશ્ન છે, દિ મૂપ ભૂપvi ઉસ્તિ ? હે ભગવાન, લોકો દાગીના પહેરે છે, શરીરને સુંદર બનાવવા માટે લોકો અલંકાર પહેરે છે, મારે પણ શોભા વધારવા માટે એક દાગીના પહેરવો છે. મને એક એવો સરસ દાગીનો બતાવો કે જે દાગીના પહેરું એટલે શોભી ઊઠું. જ્ઞાનીઓ પણ એ જોઈ કહે કે વાહ ! અલંકાર તો આનું નામ કહેવાય ! મને એવો દાગીનો બતાવો કે જેને કોઈ ભ્રષ્ટ કરી શકે નહિ, અને જે પહેર્યા પછી કોઈ દિવસ આપણને છોડે નહિ.” દાગીનાની શરત બહુ આકરી હતી. એવો દાગીનો કયાંથી લાવવો ? ગુરુએ જોયું કે શિષ્યમાં જબરી ઝંખના જાગી છે. બસ, ઝંખના જાગી એટલે વિકાસનો પ્રવાસ શરૂ. બીજાને ઝંખના થાય કે હવે બહાર નીકળવું છે, એટલે કોઈ પણ ભોગે એ નીકળવાનું જ. પછી ૧૦૬ જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy