SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ભલે આ ઋતુમાં કે આવતી ૠતુમાં; પણ એ ધરતીની બહાર નીકળીને જ જંપવાનું. સમ્યક્ત્વ એટલે આત્માની ઝંખના. ‘મારું સ્વરૂપ શું ? હું કોણ છું ?' આવી ઝંખના જેને જાગી એનો બેડો પાર થઈ જવાનો. હા, સમ્યકૂદૃષ્ટિ જીવને સાત-આઠ ભવ તો બહુ વધારે થઈ જાય છે. ગુરુએ શિષ્યને કહ્યું, “હા, છે એવો દાગીનો. આવો દાગીનો ભરત ચક્રવર્તીએ પહેર્યો હતો, એવો દાગીનો મહાસતી સીતાએ પહેર્યો હતો, એવો દાગીનો મહાસતી મદનરેખાએ પહેર્યો હતો !'' ગુરુમહારાજે ઉત્તર આપ્યો, “શીનં-શિય∞. ‘તમે જો શીલનો દાગીનો પહેર્યો હોય તો તમને જ્ઞાનીઓ પણ જુએ. એ માટે આપણે ત્યાં કહેવાય છે : 'यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः જે દેશમાં નારી પૂજાને પાત્ર બને છે તે દેશમાં દેવતાઓ ૨મે છે. પણ જે દેશમાં સ્ત્રીઓનું અપમાન કરવામાં આવે છે, જે દેશના લોકો નારીને ‘નરકની ખાણ’ કહીને તેને નિંદે છે, તે દેશ કે ધર્મ અધોગતિ પામે છે.'' નારીને નરકની ખાણ કહેનારા વિચાર કરે કે, નારીમાં નરક ભરેલું છે તો શું તમારામાં અમૃત ભર્યું છે ? પણ જે વિરોધ કરવામાં આવેલો છે તે નારી કે પુરુષનો વિરોધ નથી, કામનો વિરોધ છે. એક કામની વૃત્તિ તમે છોડી દો; નારીને એક આત્મા તરીકે જુઓ દેવી તરીકે વંદો અને શિયળની મૂર્તિ તરીકે ઓળખો, તો તમારી આંખમાંથી વિકાર બળી જશે. પરંતુ જો તમે કામની દૃષ્ટિથી જોશો તો તમારી નજરમાં જ નરક છે એમ કહેવામાં આવ્યું છે. નારી નરક નથી, પરંતુ દૃષ્ટિમાં જે વિકાર આવ્યો છે તે નરક છે. -- - એટલે આપણે એ સમજવાનું છે કે નારીને જ્યાં માનભર્યું સ્થાન આપવામાં આવે ત્યાં સાત્ત્વિકતા ને દિવ્યતાનો નિવાસ હોય છે. Jain Education International -- સ્થૂલિભદ્રે કામવાસનાને જીતી. પછી રૂપ અને યૌવનભરી સ્ત્રી સામે જ હતી છતાં તે કેવા સ્વસ્થ હતા ! સ્ત્રી નહિ, વાસના પાડે છે. ગૃહસ્થાશ્રમનો અર્થ એ નથી કે જેમ ફાવે તેમ વર્તવાનો ૫૨વાનો મળી ગયો છે. ગૃહસ્થાશ્રમમાં મર્યાદા હોવી જોઈએ. સ્વપુરુષ સંતોષ અને સ્વનારીસંતોષ એ ગૃહસ્થાશ્રમનો પહેલો ધર્મ છે. તમે જો આંખમાંથી વિકારને દૂર કરો તો તમારો ગૃહસ્થાશ્રમ દીપી ઊઠે. એટલે જ્ઞાનીઓ આપણને જણાવે છે કે, સૌ કરતાં સારામાં સારું ભૂષણ પૂર્ણિમા પાછી ઊગી ! ૧૦૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy